કેન્દ્રીય જન જાતીય મંત્રી અર્જુ મુંડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત આદિવાસી બાળકોના શિક્ષણ પર ખાસ ભાર આપવામાં આવશે. જેમા આદિવાસી વિસ્તારો સુધી જઈને બાળકોને શિક્ષા આપવામાં આવશે.
કેન્દ્રીય જનજાતીય મંત્રીએ આપ્યું નિવેદન
રાષ્ટ્રીય શિક્ષા નીતિ વીશે આપ્યું મોટુ નિવેદન
આદિવાસી બાળકોને તેમના વિસ્તાર સુધી શિક્ષા આપવામાં આવશે
કેન્દ્રીય જનજાતીય કાર્યમંત્રી અર્જુન મુંડા દ્વારા એવુ નિવેદન આપવામાં આવ્યું છે, કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020નો ઉદ્દેશ સમાનતા અને સમાવેશ સુનિશ્ચિત કરવાનો છે. જેનાથી આદિવાસી સમાજની શિક્ષાને એક રાષ્ટ્રીય સ્વરૂપ આપવામાં આવ્યું છે. શિક્ષા મંત્રાલય અને વિશ્વવિદ્યાલય અનમુદાન આયોગ (યૂજીસી) દ્વારા એક સેમિનાર યોજાયો હતો જેમા તેમણે આવું નિવેદન આપ્યું છે.
સેમિનારમાં ઉચ્ચ અધિકારીઓ શામેલ
આ સેમિનારમાં ઉચ્ચ શિક્ષા સચિવ અમિત ખરે, વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગના અધ્યક્ષ ડી.પી સિંહ ,સંયુક્ત સચિવ નીતા પ્રસાદ તેમજ મંત્રાવયના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દ્વારા એકલવ્ય આદર્શ આવાસીય વિદ્યાલય યોજનાનો દ્રષ્ટીકોઁ પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત શિક્ષા આપવામાં આવશે
આ યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારોમાં શિક્ષા પહોચાડવમાં આવશે. જેમા ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત સમગ્ર શિક્ષા જેવા કાર્યક્રમોને વિદ્યાર્થીઓ સુધી પહોચાડવામાં આવશે. સમગ્ર મામલે અર્જુન મુંડાએ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસની ભાવના સાથે સ્વશાસન પર મહત્વનો ભાર આપ્યો .
હિન્દી ભાષા વિદ્યાર્થીઓને શિખવાડવી જરૂરી
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે અમિત ખરે દ્વારા વિદ્યાર્થીઓને જે ભાષા સંબંધી સમસ્યા નડે છે. તેના પર ભાર આપ્યો. જે મુદ્દે તેમણે કહ્યું વિદ્યાર્થીઓને હિન્દી અને સ્થાનિક ભાષાઓ શિખવાડવી વધારે જરૂરી છે. જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી પાછળ ન રહે. મહત્વનું છે કે આ સેમિનારમાં ખાસ કરીને કેન્દ્રીય મંત્રીએ બાળકોને આદિવાસી બાળકોના શિક્ષણ મુદ્દે ખાસ ચર્ચા કરી હતી.