અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે, જેને લઇને ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. અટકળો ચાલી રહી છે કે, ગુજરાતની લોકસભાની ચૂંટણી બાદ અલ્પેશ ભાજપનો કેસરિયો ધારણ કરશે, જ્યારે આજે CM રૂપાણીએ જેને લઇને નિવેદન આપ્યું છે.
લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સભાઓ કરવામાં આવી રહી છે. ત્યારે અરવલ્લીના મેઘરજમાં સીએમ રૂપાણીએ સભા સંબોધી હતી. આ દરમિયાન સીએમ રૂપાણીએ અલ્પેશ ઠાકોર અંગે નિવેદન આપ્યું છે.
ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી તમામ પદ પરથી રાજીનામુ આપ્યુ છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે. અલ્પેશના ભાજપમાં જોડાવવા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે કે, અલ્પેશ ભાજપમાં જોડાવવાનો નથી. આ મામલે અલ્પેશે પણ સ્પષ્ટ કહ્યુ છે કે, તે ભાજપમાં જોડાશે નહી.. અલ્પેશે રાજીનામુ આપ્યુ તે તેમનુ વ્યક્તિગત પ્રશ્ન છે. સાથે જ તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યુ કે, અલ્પેશની સાથે ઘણા લોકો કોંગ્રેસથી નારાજ છે. કોંગ્રેસના નેતાઓ પોતાની નારાજગી બતાવી રહ્યા છે.
કોંગ્રેસ પર પહાર કરતાં સીએમ રૂપાણીએ જણાવ્યુ કે, એક તરફ ચોકીદાર તો બીજી તરફ ચોરોની જમાત ભેગી થઈ છે. આ સાથે સીએમ રૂપાણીએ જણાવ્યુ કે, કોંગ્રેસ પરિવારવાદમા ડૂબેલી છે. કમલનાથે મુખ્યમંત્રી બન્યા પછી 700 કરોડ રૂપિયા લૂંટ્યા છે. મોદીજી ફક્કડ ગિરધારી છે. તેમનુ જીવન રાષ્ટ્રને સમર્પિત છે. દરેક ધર્મના ગરીબો માટેની ચિંતા ભાજપ સરકારે કરી છે.. 130 કરોડ ભારતવાસીઓનો ભાજપે વિકાસ કર્યો છે..