રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે ક્રિકેટને લઇને મોટુ નિવેદન આપ્યું છે. સચિન અને ધોની વિશે વાત કરતા શરદ પવારે સ્ટેટમેન્ટ આપ્યું.
શરદ પવારે આપ્યુ નિવેદન
મોદી સરકાર પર ઉઠાવ્યા સવાલ
ધોની અને સચિનને લઇને પણ કહી આ વાત
શરદ પવારે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે ભાજપની સત્તા આવ્યા બાદ દેશમાં સાંપ્રદાયિકતાનું ઝહેર વધી રહ્યું છે. ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદીને વિદેશ જવાનો સમય છે, બંગાળ જવાનો સમય છે પરંતુ 20 કિમી દૂર જ્યાં ખેડૂતો છેલ્લા 100 દિવસથી આંદોલન કરી રહ્યાં છે ત્યાં જઇને તેમને મળવાનો સમય નથી.
શરદ પવાર રાંચીના હર્મૂ મેદાનમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સભામાં બોલી રહ્યાં હતા. પવારે આગળ કહ્યું કે, બિરસા મુંડાની ધરતી પર આવવું તેમના માટે સૌભાગ્યની વાત છે. પવારે બીજા ઘણા નિશાન ભાજપ સરકાર પર સાધ્યા હતા.
પવારે કહ્યું કે ભાજપ અસદ્દુદીન ઓવેસીના કારણે ચૂંટણી જીતે છે. કોવિડના કારણે જ્યારે આખી દુનિયા પરેશાન છે ત્યારે ભાજપે લોકોને કહ્યું કે, થાળી વગાડો. અમે થાળી વગાડવી નહી પરંતુ થાળીમાં અન્ન કેવી રીતે આવશે તેની ચિંતા કરીએ છીએ.
ધોનીનું નામ, NCPનું કામ
તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના વિકાસમાં ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના લોકોનું ખૂબ યોગદાન છે. તેમણે સવાલ કર્યો કે મોદીએ શું કર્યુ છે. તેની સાથે જ ધોનીની પ્રશંસા કરતા કહ્યું કે આજે ક્રિકેટ જે ઉંચાઇઓ પર પહોંચ્યુ છે તેમાં ધોનીનુ મોટુ યોગદાન છે. તેણે કહ્યું કે રાહુલ દ્વવિડ જ્યારે કપ્તાની છોડી રહ્યાં હતા ત્યારે તે સચિન તેંડૂલકરને કપ્તાની સોંપવા માંગતા હતા પરંતુ સચિને ધોનીનું નામ આપ્યુ હતુ.
વધુમાં કહ્યું કે આ બાદ ધોનીને ક્રિકેટ કેપ્ટન તરીકેની જવાબદારી આપવામાં આવી અને ક્રિકેટને એક નવી ઓળખાણ અપાવી હતી. પવારને ગર્વ છે કે તે ધોનીની ધરતી પર આવ્યા. ધોનીના નામે શરદ પવાર પોતાની પાર્ટીની શક્તિને વિસ્તારીત કરવાની તક ચૂક્યા નહી.