રાજકોટ ખાતે દૂધ ઉત્પાદક સંઘની વાર્ષિક સભામાં મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું કે, દૂધમાં ભેળસેળ કરનારી મંડળી સામે કાર્યવાહી કરવામાં આવશે
રાજકોટ દૂધ ઉત્પાદક સંઘની સામાન્ય સભા
સભામાં મંત્રી જયેશ રાદડિયાની ટકોર
"દૂધમાં ભેળસેળ નહીં ચલાવી લેવાય"
રાજકોટ દૂધ ઉત્પાદક સંઘની વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. ત્યારે વાર્ષિક સાધારણ સભામાં મંત્રી જયેશ રાદડિયાએ ટકોર કરી. તેઓએ કહ્યું કે દૂધમાં ભેળસેળ ચલાવી લેવામાં નહી આવે. કોઇ પણ ભેળસેળ કરશે તો તેની સામે આકરા પગલાં લેવાશે. દૂધમાં ભેળસેળ કરનાર 39 મંડળીઓને રદ કરાઇ છે. સાથે જણાવ્યું કે, જે મંડળીમાંથી ભેળસેળવાળુ દૂધ મળી આવશે તેમની સામે કાર્યવાહી કરાશે. અને 90 જેટલી મંડળી વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હોવાની પણ વાત કરવામાં આવી હતી.
રાજકોટ દૂધ ઉત્પાદક સંઘની 61મી વાર્ષિક સામાન્ય સભા
ડેરીનું વાર્ષિક ટર્નઓવર રૂ.843 કરોડ
ગત વર્ષની સરખામણીએ 8.59 ટકાનો વધારો થયો
વર્ષ 2020-21નો ચોખ્ખો નફો રૂ.9.61 કરોડ
દૂધ ઉત્પાદકો માટે મોટી જાહેરાત કરાઈ
દૂધ ઉત્પાદકોને પ્રતિકિલો ફેટે રૂ.10નો ભાવ વધારો જાહેર
દૂધ ઉત્પાદકો માટે વીમા કવચની યોજના ચાલુ રાખવાનો નિર્ણય
આ સાથે રાજકોટમાં યાર્ડની ચૂંટણીમાં ભાજપ પણ જીતવા માટે પૂરતા પ્રયત્ન કરી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના 2 નંબરના યાર્ડની ચૂંટણી પણ ઓગસ્ટ મહિનામાં યોજાવવાની છે. આ ચૂંટણી 5 ઓગસ્ટના દિવસે યોજાશે. જેમાં જિલ્લા ભાજપનું જૂથ યાર્ડના હાલના શાસકોની સામે જીતવા માટે ઉતરશે. આ મામલે પણ મંત્રી જયેશ રાદડિયાએ નિવેદન આપતા કહ્યું કે, રાજકોટ સહિત 6 જેટલા યાર્ડની ચૂંટણી બિનહરીફ કરાવવાના મારા પ્રયત્નો રહેશે.