હર્ષ સંઘવીએ કહ્યું કોવિડ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવું પડશે પણ સામે જોઈએ તો ભાજપના સુશાસન સપ્તાહ,યુથ ચલા બુથ કાર્યક્રમોમાં કોરોના નિયમોના ધજાગરા ઊડી રહ્યા છે
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો
નિયમોના ઉલ્લંઘન મુદ્દે બોલ્યાં હર્ષ સંઘવી
"કોવિડ નિયમોનું પાલન કરાવવું પડશે"
એક તરફ રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.તો બીજી તરફ હજુ પણ કોવિડ નિયમોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે.ત્યારે કોવિડ નિયમોના ઉલ્લંઘન અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્યમાં ફરી કોરોનાના કેસો વધી રહ્યાં છે.કોવિડ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવું પડશે.નિયમોનું પાલન કરાવવા અમે પ્રયાસ કરી રહ્યાં છીએ.નાગરિકોએ પોતાની સુરક્ષા માટે નિયમોનું પાલન કરવું જોઇએ.આ સાથે જ ન્યૂ યરને લઇને કહ્યું કે, 31 ડિસેમ્બરે કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.31 ડિસેમ્બર માટે ગંભીરતાથી વિચારણા કરી રહ્યાં છીએ.
પણ જોવા જઈએ તો ભાજપના જ કાર્યક્રમોમાં મોટી ભીડ ભેગી થઇ રહી છે તેના પણ રોક લાદવી જરૂરી છે. નિયમોનું પાલન કરવું જરૂરી છે. આજે પણ ઘણા કાર્યક્રમો થયા જેમાં કોરાના શિસ્તનું સુરસુરિયું જોવા મળ્યું
વઢવાણમાં ભોજન સમારંભમાં પડાપડી
સુરેન્દ્રનગરના વઢવાણમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોરોનાના નિયમોને નેવે મૂકી મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા કરવામાં આવ્યા હતા. ત્યાંથી પણ ન અટકતા મેડિકલ હોલ ખાતે ભોજન સમારંભ ગોઠવવામાં આવ્યો હતો જેમાં ભોજન માટે લોકોએ પડાપડી કરતાં ગાઈડલાઇન સુરસુરિયું થઈ ગયું હતું. ઘણા ખરા કાર્યકરો માસ્ક અને સામાજિક અંતરનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા હતા.
"યુથ ચલા બુથ" કાર્યક્રમના આયોજનમાં સોશિયલ અંતર ગાયબ
ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. રાજ્યના કોરોના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપની ઘોર બેદરકારી પણ સામે આવી છે. ભાજપ દ્વારા "યુથ ચલા બુથ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એક હજાર કરતાં વધુ કાર્યકરોને બોલાવવામાં આવ્યા હતા. અમદાવાના દિનેશ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ નેતાઓ, મંત્રીઓ પણ જાહેરમાં માસ્ક વિના કાર્યક્રમમાં દેખાયા હતા. સરકાર કોરોનાને નાથવા માટે રણનીતિ બનાવે છે પરંતુ પક્ષના જ કાર્યકરો નિયમોની અનદેખી કરતા નજરે ચઢે છે.
નેતાજીઓ નિયમોમાંથી છૂટ પ્રજાને દંડ
ગુજરાતમાં ફરી કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે હજારોની સંખ્યમાં કોરોના કહેર વચ્ચે પૂર્વ મંત્રી સૌરભ પટેલે જ નિયમનેવે ક્રિકેટ ટૂર્મનામેન્ટમાં હાજરી આપીને નિયમતોડ ભીડનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. ત્યારે વધુ એક ભાજપ યુવા મોરચાના મહામંત્રીએ કોરોનાકાળમાં નિયમો ભંગ કર્યા હતોસ જેમાં ઝાફરાબાદ ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરી ભીડ એકત્રિક કરી હતી. ઉલ્લેખનિય છે કે સામાન્ય પ્રજા બેદરકારી દાખવે તો પાસેથી આકરો દંડ વસૂલ કરવામાં આવે છે જ્યારે નેતાઓ બેદરકારી દાખવે તો તેમના ઉપર કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.