ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી NCB અને વિધાનસભાના આંકડાઓને ટાંકી મહિલા સુરક્ષા મુદ્દે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા
મહિલા સુરક્ષ મુદ્દે કોંગ્રેસે કર્યા પ્રહાર
મહિલા સુરક્ષા મુદ્દે સરકાર નિષ્ફળ:કોંગ્રેસ
રાજ્યમાં રોજ 5 દુષ્કર્મની ઘટના:કોંગ્રેસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે અને જે હાર માટે કોંગ્રેસે મંથન પણ કર્યું હતું તેમજ ઝોન વાઈઝ બેઠકો કરીને હારના કારણો જાણવાની કોશિષ પણ કરી હતી, જે પછી ફરી કોંગ્રેસ એક્શનમાં આવી હોય તેવું લાગી રહ્યું છે. આજે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યો હતાં.
ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાનું નિવેદન
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી NCB અને વિધાનસભાના આંકડાઓને ટાંકી મહિલા સુરક્ષા મુદ્દે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં રોજ 5 દુષ્કર્મની ઘટના બને છે. સમગ્ર દેશમાં અમદાવાદનો સગીર બાળા પર દુષ્કર્મ કેસમાં પાંચમાં ક્રમે છે. અમદાવાદમાં વર્ષ 2021માં 614 જેટલી દુષ્કર્મની ઘટનાઓ બની છે જેનો અર્થ છે કે અમદાવાદમાં દરરોજ 2 બાળાઓ પર દુષ્કર્મની ઘટના બને છે.
મહિલા સુરક્ષા મુદ્દે સરકાર નિષ્ફળ:કોંગ્રેસ
તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં મહિલાઓ પર ગુનાઓમાં 15 ટકાનો વધારો છે. પાર્થિવરાજ કઠવાડિયાએ ગુજરાત સરકાર મહિલા સુરક્ષા મુદ્દે સંપૂર્ણ નિષ્ફળ ગઇ હોવાની વાત પણ કરી છે. તેમણે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, અમદાવાદમાં વર્ષ 2021માં 614 જેટલી દુષ્કર્મની ઘટનાઓ બની છે અને અમદાવાદમાં દરરોજ 2 બાળાઓ પર દુષ્કર્મની ઘટના બને છે અને ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં મહિલાઓ પર ગુનાઓમાં 15 ટકાનો વધારો થયો છે તેમણે કહ્યું કે, મહિલાઓની સુરક્ષા મુદ્દે ગુજરાત સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઇ છે