ભારત-ચીન સંબંધો અંગે ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ કહ્યું હતું કે આપણે બધા જાણીએ છીએ કે ચીન શું કહે છે અને શું કરે છે. કહે છે તેની વિરૂદ્ધ કરે છે. આ પણ તેમના સ્વભાવ અને ચારિત્ર્યનો એક ભાગ છે. આપણે તેમના ગ્રંથો કે લિપિયો અથવા તેમના અભિવ્યક્તિને બદલે તેમના કાર્યો પર ધ્યાન આપવાની જરૂર છે.
#WATCH | We all know what the Chinese say and what they do is quite different. It is also a part of their nature and character. We need to focus on their actions rather than what is on their texts or scripts or their articulation: Army Chief General Manoj Pande pic.twitter.com/HV9Ue4dfvB
"પૂર્વી લદ્દાખમાં સ્થિતિ સ્થિર પરંતુ અણધારી"
આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ શનિવારે કહ્યું હતું કે પૂર્વી લદ્દાખમાં સ્થિતિ સ્થિર પરંતુ અણધારી છે કારણ કે ચીન સાથે લાંબા સમયથી સરહદ પર ખેચતાણ ચાલી રહી છે. જનરલ પાંડેએ એક વિચાર સમૂહ થિંક ટેંકને સંબોધિત કરતા કહ્યું કે, બાકીના મુદ્દાઓને ઉકેલવા માટે ચીન સાથે ઉચ્ચ સ્તરીય સૈન્ય બેઠક આગામી સમયમાં થશે તેવી આશા છે.
આર્મી ચીફ જનરલ મનોજ પાંડેનું નિવેદન
સરહદી વિસ્તારોમાં ચીનના બુનિયાદી ઢાચા વિકસિત કરવાન વિષય પર આર્મી ચીફે કહ્યું કે આવું સતત થઈ રહ્યું છે. પ્રદેશમાં ભારતીય સેનાની તૈયારીઓ અંગે તેમણે કહ્યું કે, શિયાળાની મોસમની તૈયારીઓ ચાલી રહી છે. જનરલ પાંડેએ એમ પણ કહ્યું હતું કે અપાણા હિતોની સુરક્ષા માટે વાસ્તવિક નિયંત્રણ રેખા પરની અમારી ક્રાર્યો ખૂબ કાળજીપૂર્વકના જરૂરી હોય છે. ભારત-ચીન સીમા બાબતે આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું કે, ચીન સાથે અમે 17માં દોરની વાતચીતની તારીખ જોઈ રહ્યા છીએ.
"વાસ્તવિક સીમા રેખાનું કાળજી પૂર્વક નિરક્ષણ કરવું"
પૂર્વી લદ્દાખની પરિસ્થિતિ પર આર્મી ચીફે કહ્યું કે, વ્યાપક સંદર્ભમાં આપણી વાસ્તવિક નિયંત્રણ રેખા પરની કાર્યવાહીનું નિરક્ષણ કાળજી પૂર્વક કરવાની જરૂર છે જેથી કરીને અમે અપાણા હિત અને સંવેદનશીલતાનું રક્ષણ કરી શકીએ. તેમણે કહ્યું કે જ્યાં સુધી પીએલએ (પીપલ્સ લિબરેશન આર્મી ઓફ ચાઈના)ના બળના સ્તરનો પ્રશ્ન છે તેમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નથી.