સબસિડી આપવાની મર્યાદા પુરી થઇ જતી હતી, બજેટ ઉપર વધુ બોજો હોવાથી ખાતરના ભાવ વધારવા પડ્યા: રાઘવજી પટેલ
ખાતરના ભાવ મુદ્દે બોલ્યાં રાઘવજી પટેલ
"ખાતરના ભાવ ન છૂટકે વધારવા પડ્યા"
"બજેટ ઉપર વધુ બોજો હોવાથી ભાવ વધારવા પડ્યા"
મોંઘવારીએ દેશભરમાં માઝા મુકી છે.ત્યારે હવે આ મોંઘવારી અન્નદાતાને પણ મારશે.કારણ કે, પેટ્રોલ-ડીઝલના ભાવની સાથે-સાથે હવે ખેડૂતોને ખાતરના ભાવના ડામ પણ સહન કરવા પડશે. 1 માર્ચથી ફરી એકવાર ખાતરના ભાવમાં ધરખમ વધારો થયો છે.જેને લઈને ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ત્યારે સમગ્ર મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલે ખાતરના ભાવ વધારા માટે 3 કારણોને જવાબદાર ઠેરવ્યા છે.
ખાતરના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે..ખાતરના ભાવ મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, ખાતરના ભાવ ન છૂટકે વધારવા પડ્યા છે.સબસિડી આપવાની મર્યાદા પુરી થઇ જતી હતી.બજેટ ઉપર વધુ બોજો હોવાથી ખાતરના ભાવ વધારવા પડ્યા છે.તેમજ વીજળી અંગે કહ્યું કે, 8 કલાક વીજળી મળે એ માટે ઉર્જામંત્રી અને CMને વાત કરી છે.8 કલાક વીજળી ખેતી માટે મળે તેવી વ્યવસ્થા કરવા સરકાર કટિબદ્ધ છે.
ત્રણ કારણો ખાતરના ભાવ વધારા માટે જવાબદાર: કૃષિમંત્રી રાઘવજી પટેલ
કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે ખાતરના ભાવ વધ્યાએ હકીકત છે. કારણ તેના 3 છે એક તો ઈન્ટરનેશન માર્કેટમાં ખાતર માટેના કાચા માલ જે 100% આયાત કરી પડી છે તેના ભાવ 3 ગણાથી પણ વધુ વધી ગયા છે. બીજું કારણ યુક્રેન રશિયા યુદ્ધની ખાતર પણ પર અસર વર્તાઇ છે. ત્રીજુ કારણ કોરોનાને કારણે જે મહામંદીની સ્થિતિના સંયોગ બન્યા છે તેને લીધે પણ ખાતરના ભાવ ઉચકાયા છે. તેના કારણે ના છૂટકે ફરજિયાત ભાવ વધારી દેવાયા છે. કેન્દ્ર સરકારે સબસિડીમાં જે મહત્તમ મર્યાદા હતી તે તમામ સહાય કરી દીધી છે પણ બજેટ પર વધારે ભારણ ન આવે એટલે ભાવ વધારવા પડ્યા છે.
રશિયા-યુક્રેન યુદ્ધ જવાબદાર: સી.આર.પાટીલ, પ્રદેશ અધ્યક્ષ ભાજપ
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 100ને પાર થયા છે તો બીજી તરફ ખાતરના ભાવમા પણ અસહ્ય. વધારો નોંધાયો છે.ત્યારે આ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્વને જવાબદાર ગણાવ્યું છે.જો કે સાથે જ આ મામલે સરકાર નિર્ણય કરશે તેવી બાંહેધરી આપી છે.
ડીએપી અને એનપીકે ખાતરના ભાવમાં વધારો
ડીએપી ખાતરમાં 150નો ભાવ વધારો
હવે ડીએપીની બોરી રૂ 1350માં
NPK માં રૂ 285 નો ભાવ વધારો થયો
હવે NPK ખાતર રુપિયા 1470 રુપિયામાં
વીજકાપ, સિંચાઈ માટે પાણી કાપ અને હવે બિયારણ બાદ 1 માર્ચથી ખાતરના ભાવમાં વધારાનો માર.એકબાદ એક ખેડૂતોને ખેતીમાં ઝટકા સાથે ફટકા પડી રહ્યા છે. ભાવ વધારાને કારણે ખેડૂતોની ખેતી અને ખેતીમાં થતી ઉપજ બન્નેમાં નુકસાની આવી રહી છે.કેટલીક ખેતીમાં ખર્ચ પરવડતો ના હોવાથી, ખેડૂતોને ઉત્પાદન અને ઉત્પાદકતા બન્નેમાં નુકસાની વેઠવાનો વારો આવે છે.ખેડૂતોની ખેતીમાં વપરાતા DAP અને NPK ખાતરના ભાવમાં થયેલા વધારાથી આક્રોશ છે.તો બીજી તરફ સરકાર ભાવ વધારા પાછળ રશિયા-યુક્રેનના યુદ્ધનું કારણ આપી રહી છે.હવે સવાલ એ છે કે ખાતરના ભાવ વધે તો ખેડૂતો સમૃદ્ધી તરફ કેવી રીતે આગળ વધે?.ખેતીમાં ખેડૂતોને કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.?