લોકસભા ચૂંટણીનો રંગ સમગ્ર દેશમાં ઉડી રહ્યો છે. જ્યારે હવે ફરી હિન્દુ- મુસ્લિમ પર રાજનીતિ શરૂ થઇ ગઇ છે. એક બીજા નેતાઓ સામ-સામે કટાક્ષ કરી રહ્યા છે, થોડા દિવસો પૂર્વે મેરઠમાં એક ચૂંટણી રેલીને સંબોધતા મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ-બીએસપી-એસપીને ‘અલી’ પર વિશ્વાસ છે તો અમને ‘બજરંગબલી’ પર વિશ્વાસ છે. તો હવે 'અલી' અને 'બજરંગબલી' પર આઝમ ખાનનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે.
લોકસભા ચૂંટણીમાં ફરી હિન્દુ-મુસ્લિમની રાજનીતિ શરૂ થઇ ગઇ છે. યૂપીમાં સીએમ યોગી આદિત્યનાથના અલીવાળા નિવેદન પર રામપુરથી એસપી-બીએસપી ગઠબંધનના ઉમેદવાર આઝમ ખાને વિવાદિત નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે, આ લોકોએ રામ અને સીતાજીને અને દેશને વિશ્વાસઘાત કર્યો છે. બજરંગ બલી અને અલી બંને મળીને ભાજપની બલિ લેશે.
આ ઉપરાંત તેઓએ બજરંગ અલી તોડ દુશ્મન કી નલી કરીને નારા પણ લગાવ્યા. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકસભા ચૂંટણી પહેલાં અલી-બજરંગબલી પર નિવેદન કરતા વિવાદ સર્જાયો હતો. મેરઠમાં એક ચૂંટણી રેલીને સંબોધતા મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ-બીએસપી-એસપીને ‘અલી’ પર વિશ્વાસ છે તો અમને ‘બજરંગબલી’ પર વિશ્વાસ છે.
નોંધનીય છે કે વિતેલા દિવસોમાં યોયી આદિત્યનાથે મોદી સેના ને લઇને નિવેદન આપ્યું હતું જેના કારણે રાજકીય ઘમાસાણ મંડાળું હતું. ચૂંટણી પંચે પણ આ મામલે યૂપીના ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગતા નોટિસ જાહેર કરી આ પ્રકારના નિવેદનોના સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, યોગીએ આ પહેલા અલી-બજરંગબલીને લઇને નિવેદન આપી વિવાદ સર્જો હતો. ગત વર્ષે મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન યોગીએ નિવેદન કર્યું હતું કે, કમલનાથજી, તમારા માટે ભલે અલી મહત્વપૂર્ણ હોય પરંતુ અમારા માટે તો બજરંગબલી જ બધુ છે. યોગીએ કમલનાથના એ વિડીયોની પણ ટીકા કરી હતી જેમાં તેઓ મુસ્લિમ નેતાઓને પાર્ટી માટે 90 ટકા મતદાન કરાવવાની વાત કહી રહ્યા હતા.
આ દરમિયાન ભોપાલની એક રેલીમાં યોગીએ જણાવ્યું હતું કે, મેં આ વાચ્યું છે કે કોંગ્રેસ નેતા કમસનાથ કહી રહ્યા હતા કે તેમને એસટી અને એસસી વોટ નથી જોઇતા. તેમને માત્ર મુસ્લિમ વોટ જોઇએ.
બીજા એક મામલે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં યોગીએ બજરંગબલીની જાતિ વિશે નિવેદન આપ્યું હતું, તેમણે અલવરમાં રેલીને સંબોધતા હનુમાનજીને દલિત દર્શાવ્યા હતા. જો કે તેમના આ નિવેદન પછી સોશિયલ મીડિયામાં તેઓ ટીકાપાત્ર બન્યા હતા. આ સિવાય રાજસ્થાનના મકરાનામાં એક રેલીને સંબોધતા યોગીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યા હતા કે, કોંગ્રેસ આતંકીઓને બિરયાની ખવડાવે છે જ્યારે અમે ગોળીઓ ખવડાવીએ છીએ.