સુરતમાં ક્રાઈમના રેટમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે ઉધના રેલવે સ્ટેશન પાછળ એક યુવકની હત્યા થઈ છે. આંશિક નામના યુવકની હત્યા કરીને અજાણ્યા શખ્સો ફરાર થયા છે. યુવકના મૃતદેહ પાસેથી એક્ટિવા પણ મળી આવ્યુ છે. જ્યારે મોબાઈલના આધારે યુવકની ઓળખ થઈ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલીને આગળની કાર્યવાહી હાથધરી છે.
રાજ્યમાં હત્યા, લૂંટ જેવી ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 24 કલાકમાં ત્રણ હત્યાના મામલા સામે આવ્યા છે. જેમાં સુરતમાં અજાણ્યા શખ્સો આંશિક નામના યુવકની હત્યા કરી ફરાર થઇ ગયા. યુવકના મોબાઇલના આધારે યુવકની ઓળખ કરવામાં આવી છે. ત્યારે હાલ પોલીસે હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.
તો બીજી ઘટના છે અમદાવાદની જ્યાં મેઘાણીનગરમાં અસામાજિક તત્વોએ 20 દિવસની બાળકીની હત્યા કરી નાખી. આ મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે મહેસાણાના પરાવાસમાં યુવક પર જીવલેણ હુમલો કરાયો હતો. અંગત અદાવત શખ્સોએ યુવક પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા. જેમાં યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. અને આજે સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું છે.