રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. જ્યારે રાજ્યમાં વાતારવણમાં પલટો આવતા લોકોને ગરમીથી રાહત મળી છે. ત્યારે હવે વાતાવરણ પલટાને લઈને હવામાન વિભાગની આગાહી કરી છે કે, આગામી 2 દિવસ સુધી રાજ્યમાં તાપમાન યથાવત્ રહેશે.
રાજયભરમાં પશ્ચિમ તરફથી ફૂંકાતા પવન 15 મેના રોજ દક્ષિણની દિશાથી ફૂંકાશે. સાથે જ હવામાન વિભાગે 15 તારીખે રાજકોટ, ભુજ, બનાસકાંઠામાં ગાજવીજ સાથે તેજ પવનની આગાહી પણ કરી છે. હાલમાં રાજયના મોટા શહેરોમાં તાપમાન 40ને પાર છે. અમદાવાદમાં હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યુ છે.