દેશમાં જ્યાં એક તરફ જાતિ આધારિત અનામત પર રાજનીતિ શરૂ જ છે. ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારે ધર્મ આધારિત અનામત માટે કવાયત શરૂ કરીને એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે. થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના લઘુમતી બાબતોના મંત્રી નવાબ મલિકે વિધાન પરિષદમાં જાહેરાત કરી હતી કે, મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં 5% મુસ્લીમ અનામત માટે કાયદો ઘડવા જઈ રહી છે.
શું મહારાષ્ટ્રથી થશે આગાઝ?
મુસ્લીમ અનામતની ઊઠી ચર્ચા
જૂની માગણી પર નવું રાજકારણ
પોતાની સરકારના જ એક લઘુમતી બાબતોના મંત્રીના આ નિવેદન હજુ માંડ 3 દિવસ પસાર થયા છે ત્યાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ મુસ્લિમ અનામત પર બિલકુલ વિરોધાભાસી નિવેદન આપીને સૌને ચોંકાવી દીધા છે. તેમણે કહ્યું કે આવી કોઈ બાબત મારી સામે આવી નથી. હજુ સુધી મુદ્દો આવ્યો નથી. સરકારની સામે આવી કોઇ વાત આવી નથી. મુસ્લિમ આરક્ષણ વિષે એટલે મને એવું લાગે છે કે જે મુદ્દો અમારી સામે આવ્યો નથી. તેના પર કોઇએ ચર્ચા કરવાની જરુર નથી.
ગઠબંધનમાં મતભેદ હોવાનું સામે આવ્યું
એક જ પક્ષના બે નેતાના અલગ અલગ નિવેદનોથી મહારાષ્ટ્રમાં શિવસેના એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકારની અંદરના મતભેદ ફરી એકવાર સપાટી પર આવ્યા છે..જો કે તેમ છતાં કોઈપણ પ્રકારના નિવેદનથી પક્ષની મતભેદ પર વિપક્ષની નજરમાં ન આવીજાય સપાટી પર ન આવે તે માટે નવાબ મલિક પણ સજાગ હોય તેવું લાગે છે. તેમણે ઉદ્ધવઠાકરેના નિવેદનને નિયમ મુજબનું ગણાવ્યું.
મુસ્લિમોને નોકરીઓ અને પ્રમોશનમાં અનામત સરકાર કરી રહી છે મથામણ
આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં મુસ્લિમોને નોકરીઓ અને પ્રમોશનમાં અનામત શિવસેનાના નેતૃત્વ હેઠળના મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારના એજન્ડામાં પહેલાથી છે.. આ મુદ્દો ઘણો જૂનો છે. આપને જાણ થાય કે, 2014માં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને NCPની સરકાર હતી. તે વખતે મરાઠા માટે 16% અને મુસ્લિમો માટે 5 % અનામતની જોગવાઈનો કરતો વટહુકમ કરાયો હતો. 2014ના અંતમાં મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ ગઠબંધન સરકાર અસ્તિત્વમાં આવી તો ભાજપ-શિવસેના ગઠબંધન સરકારે મરાઠા અનામત જાળવી રાખી પરંતુ મુસ્લીમ અનામત પર કોઈ કાયદો ન બનાવ્યો. સમય વીતતા વટહુકમ લેપ્સ થઈ ગયો. હવે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ -શિવસેના સરકાર છે ત્યારે શિવસેના ઘણા દિવસોથી મુસ્લીમ આરક્ષણનો રાગ આલાપી રહી છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેનાનો દબદબો
મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેનાનો દબદબો એટલા માટે જોવા મળે છે કે, તે મુસલમાન અને પાકિસ્તાન પર ખૂલીને પોતાની વાત કરે છે. જ્યારે ભાજપ તોલીમોલીને બોલે છે. ઉદ્ધવ ઠાકરે ઘણીવાર કહી ચૂક્યા છે કે, તેમને પોતાનું હિંદુત્વ સાબિત કરવા કોઈ ઝંડાની જરૂર નથી. જો કે, મહારાષ્ટ્ર અઘાડી સરકારે જ્યારથી મુસ્લીમ આરક્ષણની વાત કરી છે ત્યારથી ભાજપે આક્રમક વલણ દાખવવાનું શરૂ કરી ઉદ્ધવ સામેજ હિંદુરાજનીતિનું કાર્ડ ખેલ્યું છે.
હાલતો મહારાષ્ટ્રની રાજનીતિમા મુસ્લીમ આરક્ષણ એક સંવેદનશીલ મુદ્દો બની ગયો છે....જેમાં શિવસેનાના હિંદુત્વની પરીક્ષા થવા જઈ રહી છે...કેમ કે મહારાષ્ટ્રમાં સત્તામાં તેની આગેવાની હોવા છતા શિવસેના હાલ વિપક્ષ ભાજપ અને સહયોગી પક્ષો વચ્ચે સેન્ડવીચ બની ગયો છે...