જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય(જેએનયૂ)ના પૂર્વ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કનૈયા કુમાર અને અન્યની વિરુદ્ધ દેશદ્રોહના મુદ્દે બુધવારે દિલ્હીની એક અદાલતમાં સુનવણી થઈ હતી. આ કેસમાં સુનવણી દરમિયાન કોર્ટે રાજ્ય સરકારે સ્ટેટ રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે. દેશદ્રોહના આરોપી વિરુદ્ધ કેસ ચલાવવાની પરવાનગી હજુ સુધી મળી નથી. કોર્ટે પોલીસને દિલ્હી સરકારને રિમાઈન્ડર અપાવવાનું કહ્યું છે.
JNUના કનૈયાકુમાર,ઉમર ખાલિદ સામે દેશદ્રોહ કેસ
દિલ્હી કોર્ટમાંદિલ્હી પોલીસે જવાબ કર્યો રજૂ: પોલીસ
દિલ્હી સરકાર પાસેથી હજૂ મંજૂરી નથી મળી: પોલીસ
દિલ્હી સરકારને ફરી રિમાઈન્ડર મોકલવામાં આવે
કન્હૈયાકુમાર અને ઉમર ખાલિદ વિરુદ્ધ દેશદ્રોહ કેસ મામલે હવે દિલ્હી કોર્ટમાં દિલ્હી પોલીસે જવાબ રજૂ કર્યો છે. દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું કે, ‘દિલ્હી સરકાર પાસેથી હજુ મંજૂરી મળી નથી.. કેસ ચલાવવા મંજૂરી મળી નથી.’ જે મામલે કોર્ટે કહ્યું કે, ‘દિલ્હી સરકારને ફરી રિમાઈન્ડર મોકલવામાં આવે.’ એક મહિનામાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા પણ આદેશ આપ્યો છે. અને આ મામલે વધુ સુનાવણી 3 એપ્રિલે હાથ ધરવામાં આવશે.
કેસ અહીં અટવાયો છે
દિલ્હી પોલીસે 14 જાન્યુઆરી 2019નાં રોજ લગભગ 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. દિલ્હી સરકાર તરફથી કેસ ચલાવવાની મંજૂરી નથી મળી. આ કેસ દિલ્હી સરકારના ગૃહ મંત્રાલયમાં અટવાયેલો છે.
કોના કોના નામે છે દેશદ્રોહ નો આરોપ
દિલ્હી પોલીસની ચાર્જશીટમાં જેએનયૂના પૂર્વ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કનૈયા કુમાર, પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્યને મુખ્ય આરોપી બનાવ્યા છે. આ ઉપરાંત આકીબ હુસૈન, મુજીન હુસૈન, બસરત અલી સહિત 7 અન્ય આરોપીઓના નામ ફરિયાદમાં છે. પોલીસનાં જણાવ્યાનું સાર 9 ફેબ્રુઆરી 2016ના રોજ તમામ આરોપીઓએ રેલીનું નેતૃત્વ કર્યુ હતું. જેમાં દેશ દ્રોહના સૂત્રોચ્ચાર થયા હતા. તેમના પર આરોપ છે કે તેમણે દેશ વિરોધી સૂત્રોને સમર્થન આપ્યું હતું.