અમદાવાદમાં નવરંગપુરામાં પેઇગ ગેસ્ટ તરીકે રહેતી યુવતીની છેડતીનો મામલે પોલીસે છેડતી કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીડિતાના નિવેદન બાદ પોલીસ ચોપડે ફરિયાદ નોંધવામાં આવી છે. છેડતીની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે ગૃહરાજ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું.
PGમાં રહેતી યુવતી સાથે થયેલી છેડતી મામલે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, બિભત્સ કૃત્ય કરનાર સામે પગલા લેવામાં આવશે. ભાડુઆતની માહિતી પોલીસને આપવી ફરજિયાત છે. લોકલ પોલીસ કાર્યવાહી કરશે. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.
PGમાં રહેતી યુવતી સાથે થયેલી છેડતીનો મામલો ગૃહરાજ્યમંત્રીએ પણ ખૂબ ગંભીરતાથી લીધી છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહે બિભત્સ કૃત્ય કરનાર સામે પગલા લેવાશે તેવી વાત કરી છે. આ અંગે લોકલ પોલીસ કાર્યવાહી કરશે. તો અજાણ્યા શખ્સ સામે ગુમો પણ દાખલ કરી દેવાયો છે. તો પ્રદીપસિંહે PGમાં ભાડે રહેતી યુવતીઓની સલામતી અંગે પણ તપાસ કરવાનુ કહ્યું હતું.
યુવતીની માનસિક સ્થિતિ સારી નથી: ACP
નવરંગપુરા ખાતે PGમાં યુવતીની છેડતીનો મામલે આરોપીને પકડવા પોલીસની કવાયત તેજ બની છે. ત્યારે મહિલા પોલીસની ટીમ પીજી હોસ્ટેલમાં પહોંચી હતી. મહિલા ક્રાઈમ ACP મીની જોસેફ પણ PGમાં પહોચ્યા હતા. પીડિતાને સાથે રાખીને સમગ્ર ઘટનાને લઈ નિવેદનો નોંધ્યા હતા. ત્યારે આ મામલે એસીપી મીની જોસેફે જણાવ્યું કે, યુવતીની માનસિક સ્થિતિ સારી નથી. આરોપીના CCTV પણ જોવાનો ઇન્કાર યુવતી કરી રહી છે. આરોપીને શોધવા માટે અલગ-અલગ ટીમ કામ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર આવેલા ફ્લેટમાં પીજીના મકાનમાં મોડી રાત્રે ધૂસીને યુવકે હોલમાં સુતેલી મહિલાની છેડતી કરી હતી. 14 જૂને વિકૃત યુવકે કરેલી શરમજનક અને ઘૃણાસ્પદ હરકતો સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. આ ઘટનાના અહેવાલો પ્રકાશિત થયા બાદ મહિલાઓની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠ્યા છે.