રાજ્યમાં રોગચાળાની સ્થિતિ પર આરોગ્ય સચિવ જંયતિ રવીની પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં તેમણે કહ્યું છે કે, વધુ પડતા વરસાદથી મચ્છરજન્ય, પાણીજન્ય રોગો ફેલાયા છે. સરકારે આગોત્તરા પગલાં ઉઠાવ્યા છે.
મચ્છર પેદા થાય તેને બંધ કરીશું તો રોગચાળો કાબુમાં આવશે: જયંતિ રવી
ડેન્ગીને નાથવા માટે તમામે સાથે પ્રયાસ કરવો જોઇએ: જયંતિ રવી
જંયતિ રવીએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની કાર્યવાહી રાજ્યમાં ચાલી રહી છે. મચ્છરદાની વિતરણ, ફોગિંગ સહિતની કામગીરી ચાલી રહી છે. ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી પણ ચાલી રહી છે. 4 લાખ મચ્છરદાનીનું વિતરણ કર્યું છે. 97 ટકા લોકોનું સર્વેલન્સ કરાયું છે.
મચ્છર પેદા થાય તેને બંધ કરીશું તો રોગચાળો કાબુમાં આવશે: જયંતિ રવી
ઘરોમાં પાણીનો ભરાવ ન થાય તેની લોકોએ સાચવેતી રાખવી પડશે. મચ્છર માત્ર 3-5 મીટરના વિસ્તારમાં જઇ શકતા હોય છે. પ્રવાહી વધુ પ્રમાણમાં લેવો જોઇએ. અસરકર્તા લોકોએ વધુ આરામ લેવો જોઇએ. અશક્તિ જણાય તો તાત્કાલિક સારવાર માટે જવું જોઇએ. મચ્છર પેદા થાય તેને બંધ કરીશું તો રોગચાળો કાબુમાં આવશે. ડેન્ગીને નાથવા માટે તમામે સાથે પ્રયાસ કરવો જોઇએ.
જામનગર અને રાજકોટમાં ડેન્ગીના કેસમાં વધારો થયો: જયંતિ રવી
જામનગરમાં આસપાસના જિલ્લાની ટીમો મોકલાઇ છે. 1.12 લાખ ઘરોનું જામનગરમાં સર્વેલન્સ કરાયું. 7868 સ્થળે મચ્છર પોળા પોઝિટિવ મળી આવ્યા. ડેપ્યુટી ડાયરેક્ટર જામનગરમાં કેમ્પ કરી રહ્યા છે. આરોગ્ય કમિશનર પણ ત્યાંની સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. જામનગરમાં 481 કર્મચારીઓની ટીમ કાર્યરત છે.