ધોરણ-10માં માસ પ્રમોશનને કારણે વિદ્યાર્થીઓ અટવાય નહીં જાય તે માટે સુરત મહાનગર પાલિકાએ અગિયાર અને બારના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
સુરત મહાનગર પાલિકા મહત્વનો નિર્ણય
મનપાની શાળામાં ધો.11-12ના વર્ગો શરૂ થશે
1 વર્ગમાં 65થી 75 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે
ધોરણ-10માં માસ પ્રમોશનને કારણે વિદ્યાર્થીઓ અટવાય નહીં જાય તે માટે સુરત મહાનગર પાલિકાએ અગિયાર અને બારના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.પાલિકા સમગ્ર દેશમાં ધોરણ 1થી લઈ 12 સુધી શિક્ષણ આપતી એકમાત્ર મહાપાલિકા બનશે.
રાજ્ય સરકારે ધો.11-12ના વર્ગને આપી મંજૂરી
સુરત મહાનગર પાલિકા દ્વારા ઉચ્ચતર માધ્યમિકના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, મહત્વનું છે કે સુરત મનપામાં ગુજરાતી માધ્યમના 11 વર્ગ,મરાઠી માધ્યમના 11 વર્ગ,હિન્દી માધ્યમના 2 વર્ગ શરૂ કરાશે જેમાં 1 વર્ગમાં 65થી 75 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. જ્યારે મનપા સંચાલિત સુમન સ્કૂલમાં ધો.11-12ના વર્ગો શરૂ થશે, મનપા સંચાલિત શાળાઓમાં સામાન્ય પ્રવાહના 22 વર્ગ તથા વિજ્ઞાન પ્રવાહના 2 વર્ગ શરૂ કરાશે.
1 વર્ગમાં 65થી 75 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે
સુરતમાં મનપાની શાળામાં ધો.11-12ના વર્ગો શરૂ થશે, જેની હવે રાજ્ય સરકારે પણ મંજૂરી આપી દીધી છે, મનપા સંચાલિત શાળાઓમાં એક વર્ગમાં 65થી 75 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે તેવું પણ મનાઈ રહ્યું છે મહત્વું છે કે મનપા સંચાલિત સુરતની સુમન શાળામાં ધો.10માં ભણતા વિદ્યાર્થીઓને પ્રાથમિકતા અપાશે.
ઉચ્ચતર માધ્યમિકના વર્ગોમાં કન્યાઓ ફ્રીમાં શિક્ષણ
મનપા સંચાલિત શાળાઓમાં ધોરણ 11 અને 12માં પહેલા વર્ષે 65થી 75 વિદ્યાર્થીઓને જ અગિયારમાં પ્રવેશ આપવામાં આવશે તેમજ એવું પણ મનાઈ રહ્યું છે કે ઉચ્ચતર માધ્યમિકના વર્ગોમાં કન્યાઓ પાસેથી એક પણ રૂપિયાની ફી નહીં લેવામાં આવે.