રાજ્યમાં કોરોના સંક્રમણનો ખતરો હજુ પણ મંડરાઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં પણ કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે એવું જોવાઈ રહ્યું છે, તે જોતા બાળકોમાં કોરોના સંક્રમણ વધી શકે છે જેને લઈ હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે, બાળકોમાં કોરોના સંક્રમણ અટકાવવા ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે કોરોનાનો ખતરો બાળકો પર મંડાઈ રહ્યો છે ત્યારે બાળ સંરક્ષણ ગૃહના બાળકોની કાળજી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
બાળકોમાં કોરોરા સંક્રમણનો ખતરો
બાળકોમાં કોરોના કેસ સામે આવ્યા છે ત્યારે જાણકારો દ્વારા હજુ પણ કોરોના સંક્રમણની ત્રીજી લહેરની શક્યતાઓ જોઈવાઈ રહી છે તે જોતા હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે જેમાં આગામી સમયમાં બાળકોની કાળજી લેવામાં આવે તેવું જણાવાયું છે. મહત્વનું છે હાઈકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી એફિડેવીટમાં બાળ સંરક્ષણ ગૃહના બાળકો પણ કોરોના સંક્રમિત થયા હોવાનો ખુલાસો સામે આવ્યો હતો.. બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા બાળકોમાં કોરોના સંક્રમણ જોવા મળતા તેમને કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા..જેવું સરકારે જણાવ્યું છે.
બાળ સંરક્ષણ ગૃહમાં 105 બાળકો કોરોના સંક્રમિત
મહત્વનું છે ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી રિટમાં જવાબમાં રાજ્ય સરકારે સોગંધનામું રજૂ કર્યું હતું જેમાં બાળ સંરક્ષણ ગૃહમાં 105 બાળકો કોરોના સંક્રમિત થયા હતા તેવું સામે આવ્યું છે જ્યારે 68 બાળકો કોરોનામાંથી રિકવર થયા છે બાકીના 37 બાળકો સારવાર હેઠળ છે, અને સરકાર દ્વારા તેમની કોવિડ હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી રહી છે,સારવાર હેઠળ રહેલા બાળકો અત્યારે આઇસોલેશનમાં છે અને વધુ ઉચ્ચ સારવારની જરૂર પડશે તો તેની વ્યવસ્થા પણ કરવામાં આવશે તેવું રાજ્ય સરકારે જણાવ્યું છે..