ગાંધીનગરમાં બિન અનામત વર્ગની મહિલાઓ આંદોલન કરી રહી છે ત્યારે હવે સરકાર દ્વાર બિન અનામત વર્ગના સભ્યો સાથે ચર્ચા કરશે. હવે આજે સાંજે ચાર વાગે નીતિન પટેલની અધ્યક્ષતામાં બેઠક મળશે.
બિન અનામત મુદ્દે સાંજે સરકારની મહત્વની બેઠક
બિન અનામત મુદ્દે નીતિન પટેલની સાંજે બેઠક
પ્રદિપસિંહ જાડેજા પણ બેઠકમાં રહેશે હાજર
આ બેઠકમાં બિન અનામત વર્ગના પ્રતિનિધિઓ હાજરી આપશે. આ બેઠકમાં પ્રદિપસિંહ જાડેજા પણ હાજર રહેશે.
ગાંધીનગરમાં મહિલાઓનો બિન અનામતના આંદોલન મામલે પાસના નેતા દિનેશ બાંભણિયાએ રણનીતિની જાહેરાત કરી છે. દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષને મધ્યસ્થી કરાવવા માટે રજૂઆત કરવામાં આવશે.
દિનેશ બાંભણિયાએ જણાવ્યું છે કે 4 વાગ્યા સુધી સચિવાલય કૂચ મોકૂફ રખાઇ છે. અમે સરદાર પટેલના સ્ટેચ્યૂ પાસે બેસી રહીશું. અમે ભાજપ અને કોંગ્રેસના સ્ડેન્ડની રાહ જોયા બાદ નિર્ણય લઇશું.
ગાંધીનગરમાં બિનઅનામત વર્ગની મહિલાઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યો છે. આંદોલન ઉગ્ર ન થાય તે માટે સચિવાલયના 4 ગેટ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે હવે 17 જેટલી મહિલાઓ રજૂઆત કરવા માટે સચિવાલયની અંદરમાં પહોંચી છે. આ મામલે પાસના પૂર્વ કન્વીનર દિનેશ બાંભણિયાએ પ્રતિક્રિયા આપી છે કે, અમે પણ એક પછી એક ગેટની અંદર દાખલ થઈશું.