લવ જેહાદના કાયદા અંગે હાઇકોર્ટના સ્ટેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, વિવિધ જોગવાઈઓ પર હાઈકોર્ટે આપ્યો હતો સ્ટે
લવજેહાદના કાયદા અંગે હાઈકોર્ટના સ્ટેનો મામલો
રાજ્ય સરકારે સુપ્રીમકોર્ટમાં કરી છે અરજી
હાઈકોર્ટના સ્ટેને સુપ્રીમકોર્ટમાં પડકારાયો
લવ જેહાદના કાયદા અંગે હાઇકોર્ટના સ્ટેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. વિવિધ જોગવાઇઓ પર હાઇકોર્ટે સ્ટે આપ્યો હતો તે મામલે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સુપ્રીમકોર્ટે પક્ષકારોને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટના સ્ટે પર સુપ્રીમકોર્ટ હસ્તક્ષેપ ન કરે તેવું સુપ્રીમકોર્ટનું મૌખિક અવલોકન છે. આગામી મુદતે પક્ષકારોને સાંભળવામાં આવશે.
શું છે લવ જેહાદ કાયદો ?
ગુજરાતમાં લોભ-લાલચ,બળજબરી પૂર્વક કોઇ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરાવાય નહીં. આવી પ્રવૃતિ પર રોક લાગે તે માટે રાજ્ય સરકારે ગત ચોમાસુ વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય( સુધારા) અધિનિયમ-2003 રજૂ કરાયુ હતું અને સીએમ રૂપાણીએ કાયદો 15 જૂનથી લાગું કરવા જાહેરાત કરી હતી.
કપટ, બળપૂર્વક અથવા લાલચ આપી લગ્ન કરાવી ધર્મ પરિવર્તન કરાવી શકશે નહીં
ઉલ્લેખનીય છે કે, આ કાયદામાં સુધારા સાથે એવી જોગવાઇ કરાઇ છે કે, માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરાયેલાં લગ્ન ફેમીલી કોર્ટ અથવા ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે. કોઇપણ વ્યક્તિ કપટ, બળપૂર્વક અથવા લાલચ આપી લગ્ન કરાવી ધર્મ પરિવર્તન કરાવી શકશે નહીં.
ગુનેગારને કડક સજા થશે
આ ગુનામાં મદદ કરનાર કે સલાહ આપનારને પણ સમાન પ્રકારે દોષિત ગણવામાં આવશે. આ કાયદા હેઠળ ગુનેગારને ચારથી માંડીને સાત વર્ષની કેદ ઉપરાંત ત્રણ લાખ સુધીની દંડ થશે.
ધારાસભ્યોએ કરી હતી રજૂઆત
ગુજરાતમાં વડોદરા સહિત અન્ય વિસ્તારમાં બળજબરીથી લગ્ન કરાવી ધર્મ પરિવર્તનના કિસ્સા વધતાં ખુદ ભાજપના ધારાસભ્યોએ જ સરકારમાં રજૂઆત કરી હતી જેના પગલે યુપીની જેમ ગુજરાતમાં લવ જેહાદનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે.
લવ જેહાદની કથિત પરિભાષ કંઈક એવી છે કે મુસ્લિમ યુવક બિન મુસ્લિમ યુવતીને પ્રેમના જાળમાં ફસાવે છે. જે બાદ તેનું ધર્મ પરિવર્તન કરીને તેની સાથે લગ્ન કરે છે.
2009માં આ શબ્દ ઘણો જ પ્રચલિત થયો હતો. કેરળ અને કર્ણાટકથી જ આ શબ્દ રાષ્ટ્રીય સ્તરે આવ્યો. જે બાદ UK અને પાકિસ્તાન સુધી પહોંચ્યો.
તિરુવનંતપુરમ (કેરળ)માં સપ્ટેમ્બર 2009માં શ્રીરામ સેનાએ લવ જેહાદ વિરૂદ્ધ પોસ્ટર્સ લગાવ્યા હતા. ઓક્ટોબર 2009માં કર્ણાટક સરકારે લવ જેહાદને ગંભીર મુદ્દો ગણાવતા CID તપાસના આદેશ આપ્યા કે જેથી તેની પાછળ સંગઠિત ષડયંત્રની ભાળ મેળવી શકાય.
સુપ્રીમ કોર્ટે આ મામલે NIAની તપાસ પણ કરાવી હતી, જ્યારે એક હિંદુ યુવતીએ મુસ્લિમ પ્રેમી સાથે લગ્યા કરવા માટે મુસ્લિમ ધર્મ અપનાવ્યો. યુવતીના પિતાએ યુવક પર દીકરીને આતંકી સંગઠનમાં સામેલ થવા માટે ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. જો કે તપાસમાં કંઈ બહાર ન આવ્યું અને યુવતીએ પોતે જ સુપ્રીમ કોર્ટમાં જઈને પોતાની પ્રેમ કહાની વર્ણવી હતી.
કોણ કરી શકશે ફરિયાદ
સ્ત્રી પક્ષના લોહી સબંધના સંબંધી કાયદા હેઠળ ફરિયાદ કરી શકશે. ગુનાની તપાસ જિલ્લા પોલીસ વડા અને DYSP કરશે જેમાં 3 થી 10 વર્ષની સજા અને રૂ. 5 લાખનો દંડ થશે. લવજેહાદ બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને 2 લાખનો દંડ થશે જ્યારે સગીર, SC STની સ્ત્રી સાથે બનેલા ગુનામાં 7 વર્ષ કેદ અને 3 લાખનો દંડ થશે.