ગુજરાત રાજ્યમાં નવજાત શિશુઓના મોત આંકડા સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આ તરફ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત ડૉક્ટરની બેદરકારી સામે આવી છે.
જાન્યુઆરીના 5 દિવસમાં જ રાજકોટ સિવિલમાં વધુ 13 નવજાત બાળકોના મોત નિપજ્યાં હોવાના આંકડા સામે આવ્યાં છે.
રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં શિશુના મોતનો મામલો
રાજકોટ સિવિલમાં વધુ 13 નવજાત શિશુના મોત
જાન્યુઆરીના પ્રથમ 5 દિવસના ચોંકાવનારા આંકડા
રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં બાળકોના મોતના જાન્યુઆરીના પ્રથમ 5 દિવસના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. રાજકોટ સિવિલમાં વધુ 13 નવજાત બાળકોના મોત નિપજ્યાં છે. રાજકોટમાં 2019માં 1235 બાળકોના મોત થયા છે. જ્યારે રાજકોટની PDUમાં 2019માં 889 બાળકોનાના મોત થયા થયા છે.
જ્યારે અમદાવાદમાં 3 મહિનામાં 253 બાળકોના મોત થયા છે. તો સુરતની સિવિલમાં 2019માં 661 અને વડોદરાની SSGમાં 877 બાળકોના મોત થયા છે.
રાજકોટ સિવિલમાં એક મહિનામાં 111 બાળકોના મોત થતા ખળભળાટ મચ્યો છે. કુપોષણ, જન્મજાત બિમારી, અધુરા મહિને જન્મ મૃત્યુનું કારણ છે.
બાળમૃત્યુદર કેમ વધ્યો?
બાળમૃત્યુદરને લઇ સવાલો પણ ઉઠી રહ્યાં છે કે માસૂમોના મોતના જવાબદાર કોણ છે? શું સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરોની અછત છે?. પ્રસુતિ દરમિયાન ડૉક્ટર કેમ ધ્યાન આપતા નથી? શું સિવિલ હોસ્પિટલમાં અનુભવ ધરાવતા ડૉક્ટર નથી? અત્યાર સુધી તંત્ર દ્વારા કેમ ધ્યાન અપાતુ નથી? અને શું હવે આંકડા સામે આવ્યા બાદ તંત્ર કામ કરશે?
સુરત સિવિલમાં પણ ડિસે.માં 66 નવજાત શિશુના મોત
વર્ષ દરમિયાન સુરત સિવિલમાં 699 શિશુના મોત થયા છે. સુરત સિવિલમાં દર મહિને સરેરાશ 59 બાળકો મોત થાય છે. સુરત સિવિલમાં વલસાડ, ભરૂચ અને મહારાષ્ટ્થી દર્દીઓ આવે છે. છેલ્લા 4 વર્ષમાં સુરત સિવિલમાં 2965 બાળકોના મોત થયા છે.
ગુજરાતમાં નવજાત બાળકોના મોત મામલે CM આપ્યું હતું આ નિવેદન
રાજ્યની સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોતના મામલે CM રૂપાણીએ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે સરકાર આ વાત ગંભીરતાથી થઈ લઇ રહી છે. અને આમાં જેની ભૂલ હશે તેની તપાસ કરાશે. તમામ બાબતોની ઝીણવટપૂર્વક તપાસ ચાલી રહી છે.
નવજાત બાળકોના મોતને મામલે નીતિન પટેલે આપ્યું હતું આ નિવેદન
નવજાત બાળકોના મોત મામલે આજે રાજ્યમાં ઘમાસાણ જામ્યુ હતુ ત્યારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી પરિસ્થિતિ સહીસલામત હોવાનો રાગ આલાપ્યો હતો. એટલું જ નહીં પરંતુ 1997 કરતા હાલ બાળ મૃત્યુદર ઘટ્યો હોવાનું પણ જણાવ્યું હતુ.