નર્મદાના પાણીનો મહત્તમ ઉપયોગ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્યગુજરાતના એવા તળાવો કે જ્યાં પાઇપલાઇનની વ્યવસ્થા છે તેવા તળાવો ભરવાનું આયોજન
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો માટે જાહેરાત
રાજ્ય સરકાર સિંચાઇ માટે છોડશે પાણી
ઉત્તર ગુજરાતના 700 તળાવો ભરવામાં આવશે
ગુજરાતના ઘણા એવા ગામો છે જે પાણી ઝંખી રહ્યા છે. તળાવ અને નદીઓમાં પાણી ન હોવાને કારણે ખેડૂતોએ ખેતી કરવી મુશ્કેલ બની છે. એવા ઘણા ગામો છે જ્યાં સરકાર દ્વારા પાણી છોડવામાં ન આવતા પાણી વિના રહેવાનો વારો આવે છે તો બીજી એવા પણ ગામો છે જ્યાં કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડા પડી જતા ખેડૂતો સુધી પાણી પહોંચતુ નથી. ત્યારે હવે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ હજી પણ એવા ઝોન છે જ્યાં પુરતો વરસાદ પડ્યો નથી પરિણામે ખેડૂતો વાવણી કરવા માટે વરસાદની મીટ માંડીને બેઠા છે. ત્યારે વરસાદ ખેંચાતા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં તળાવોમાં 17,000 ક્યુસેક પાણી છોડાશે
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઇ રહ્યા છે. પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. તેવામાં
સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. નર્મદા યોજનાનો લાભ લેવા માટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે નહેરો થકી અને નર્મદાની નહેરો સાથે જોડાયેલા તળાવો ભરીને ખેડૂતો ખરીફ પાકની વાવણી કરી શકે તે માટે નર્મદા મુખ્ય નહેરમાં આજથી 17000 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્ય કેનાલ અને બ્રાન્ચ કેનાલ મારફતે પાણી પહોચાડવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના નેતૃત્વમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ખેડૂતલક્ષી નિર્ણય.
◾ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના તળાવોમાં આજથી પ્રતિદિન 17,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે.
◾11 લાખ હેક્ટર પિયત વિસ્તારમાં ખરીફ પાકની વાવણી સુપેરે ઉપલબ્ધ બનશે.
સરકારે ઉત્તર ગુજરાતના 700 કરતા વધારે તળાવ કે જે સુજલામ સુફલામ યોજના સાથે જોડાયેલા છે તેમાં પણ પાણી નાંખવાનો નિર્ણય કર્યો છે. આશરે એક અઠવાડિયા સુધી પાણી ચલાવવામાં આવશે. 11 લાખ હેક્ટર વિસ્તારના ખેડૂતોને ખરીફ પાકની વાવણી માટે મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય કર્યો છે. જે તળાવોને કેનાલ અને પાઇપલાઇન દ્વારા જોડાયેલા છે તેવા તમામ તળાવોમાં પાણી નાંખવામાં આવશે.
◾ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જોડાયેલા 700 થી વધુ તળાવોમાં પાણી છોડવામાં આવશે.@CMOGuj | @WSDGujarat
તો બીજી તરફ બનાસકાંઠામાં કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમને ભરવા માટે રાજ્યસરકાર દ્વાર સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે ત્યારે આ અંગે પણ ટૂંક સમયમાં 3 વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરીને સૈદ્ધાંતિક મંજૂરી સાથે કરમાવદ તળાવ ભરવા આશરે 500 કરોડ કરતા વધારે રકમના ખર્ચે આયોજન થઇ રહ્યું છે. મુક્તેશ્વર ડેમ સહિત અન્ય ચાર તાલુકાઓમાં પણ પાણી ભરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.