પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આજે અંતિમ સંસ્કાર આપવામાં આવશે. પ્રાપ્ત મળતી જાણકારી મુજબ આજે બપોરે 2.30 કલાકે દિલ્હીના લોધી રોડ સ્મશાન ઘાટમાં પૂર્વ રાષ્ટ્રપતિને અંતિમ વિદાય આપવામાં આવશે.
આ અગાઉ તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આર્મી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગઇકાલે સોમવારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થયું હતું.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી શ્રદ્ધાંજલિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને તેમના નિવાસ સ્થાને પર જઇ શ્રદ્ધાંજલિ આપી.
પીએમ મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને તેમના નિવાસ સ્થાને પર જઇ શ્રદ્ધાંજલિ આપી.
સીડીએસ સહિત ત્રણેય સેનાના પ્રમુખોએ પૂર્વ રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ આપી
ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, સેના પ્રમુખ જનરલ એમએમ નરવડે, વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા અને નૌ સેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને તેમના નિવાસ સ્થાન પર શ્રધ્ધાંજલિ આપી.
Delhi: Chief of Defence Staff (CDS) General Bipin Rawat, Army Chief General MM Naravane, Air Force Chief Air Chief Marshal RKS Bhadauria and Navy Chief Admiral Karambir Singh pay last respects to former President #PranabMukherjee, at his residence. pic.twitter.com/taBaLT9gTM