વનરક્ષક પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો સામે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વઘાણીએ મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, પેપર ફૂટ્યુ નથી.
વન રક્ષક પરીક્ષા પેપર ફૂટવાનો મામલો
સરકારના પ્રવક્ત જીતુ વાઘાણીનું નિવેદન
પેપર ન ફૂટ્યુ હોવાનો વાઘાણીનો દાવો
પેપર ફૂટવાની કોઇ ઘટના બની જ નથી
હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા વનરક્ષક માટે ભરતીની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પેપર લીક થયાનો મામલો સામે આવતા ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે પેપરના સીલ કલેક્ટર, જિલ્લા પોલીસ વડાની હાજરીમાં ખોલવામાં આવે છે.
ગેરરિતી થવી અને પેપર ફૂટવું બંને અલગ બાબત છે
ત્રણ દિવસ બાદ પેપર ફૂટ્યાનો દાવો કરવાનો મતલબ શું છે? પેપર ફૂટે અને ગેરરિતી થાય એ બંનેમાં તફાવત છે. વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિ થઇ છે પેપર ફૂટ્યું નથી. કેટલાક લોકો વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પરીક્ષાના તમામ CCTV ફૂટે જિલ્લા પોલીસ વડા અને તકેદારી આયોગ પાસે છે.
ત્રણ દિવસ બાદ દાવો કરવાનો શું મતલબ છે ?
પરીક્ષાના ત્રીજા દિવસે લોકો સામે આવતાં જીતુ વાઘાણીએ પ્રશ્ન કર્યો હતો કે, પરીક્ષાના પ્રથમ દિવસે શું તેમને સાપ ગળી ગયો હતો કે તેઓ સામે ન આવ્યા, સરકાર પારદર્શી વ્યવસ્થા માટે કટિબદ્ધ છે. ગેરરિતી કરતા લોકોની ધરપકડ કરાઇ હોવાનું પણ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, કેટલાક લોકો વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાના એકશન સ્વરૂપે કામ કરી રહ્યા છે. તેવા લોકોએ રાજકીય ફાયદો લેવા ઉમેદાવરોને કોઇ ભ્રમિત ન કરવા જોઈએ .