વર્ષ 2021-22ના બજેટની રજૂઆત બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાનું નિવેદન આપ્યું છે. બજેટમાં આરોગ્ય, સર્વગ્રાહી વિકાસ, માનવ સંસાધન આવરી લેવાયા: CM
CM રૂપાણીનું કેન્દ્રીય બજેટ મામલે નિવેદન
CM રૂપાણીએ સંસદમાં રજૂ થયેલા બજેટને આવકાર્યુ
PM મોદીના નેતૃત્વમાં કપરી સ્થિતિમાં ભારતે વિકાસ કર્યો: CM
વર્ષ 2021-22ના બજેટની રજૂઆત બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાનું નિવેદન આપ્યું છે. બજેટ અંગે જણાવ્યું કે, કોરોનાની મહામારીને કારણે દુનિયા મુશ્કેલી અનુભવે છે. ત્યારે PM મોદીના નેતૃત્વમાં કપરી સ્થિતિમાં ભારતે વિકાસ કર્યો. બજેટમાં આરોગ્ય, સર્વગ્રાહી વિકાસ, માનવ સંસાધન આવરી લેવાયા છે. તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈનોવેશનના સિદ્ધાંતો આધારિત બજેટ રજૂ થયું છે. આ બજેટના કેન્દ્રમાં વિકાસ છે. બજેટમાં ખેડૂતોથી માંડીને નાના ઉદ્યોગકારોની ચિંતા કરી છે. લગભગ રૂ.65 હજાર કરોડની આરોગ્ય યોજનાઓની જાહેરાતથી લોકોને ફાયદો પહોંચશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સ્વાસ્થ્ય ક્ષેત્ર મજબૂત થશે. બજેટમાં સ્વસ્છ મિશન 2.0નો પ્રારંભ થશે.
બજેટમાં ગુજરાતલક્ષી પણ જાહેરાતો કરાઈ
કેન્દ્રીય નાણામંત્રી સીતારામણે વર્ષ 2021-22નું બજેટ રજૂ કર્યુ હતુ જેમાં ભારતમાં શીપ મર્ચન્ટ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે શરૂઆતમાં 1654 કરોડ આપવામાં આવ્યા હતા. આ સિવાય પણ ગુજરાતમાં હાલમાં કાર્યરત પ્લાન્ટ દ્વારા શિપર રિસાયલીંગના કામ માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે.
ગીફ્ટ સીટી દ્વારા 1.5 લાખ લોકોને નવી નોકરી મળશે
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડક્લાસ ફિનટેક હબને વિકસાવાશે અને એના થકી યુવાઓ માટે આશરે 1.5 લાખ નવી નોકરીની તકો સર્જાશે, એમ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ-2021ની ઘોષણામાં જણાવ્યું છે. ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ)એ ભારતનું સૌપ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC) છે. ગિફ્ટની સંરચના પાછળનો મુખ્ય હેતુ IFSC, મલ્ટી-સર્વિસીઝ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) તથા એક્સક્લૂસિવ ડોમેસ્ટિક ઝોનની કામગીરી માટે પરિદૃશ્યની રચના છે.
રક્ષામંત્રાલયનું 75 વર્ષ જુનુ યુદ્દ જહાજ INS વિરાટ હાલ ગુજરાતમાં અલંગ ખાતે રિસાઈકલિંગ કરીને તોડવામાં આવી રહ્યુ છે. આ શીપબ્રોકિંગ યાર્ડના આ ધંધાને કારણે અલંગ દેશ વિદેશમાં જાણીતુ બન્યુ છે. અને તેને આગવી ઓળખ પણ મળી છે.
અલંગની છે નામના
કેન્દ્રિય મંત્રી મનસૂખ માંડવિયાએ જણાવ્યું હતુ કે, આખી દુનિયામાંથી દર વર્ષે લગભગ 1000 જેટલા જહાજ તોડવામાં આવે છે. ત્યારે તેમાંથી 350થી 400 જહાજ એકલા અલંગમાં તોડી પાડવામાં આવે છે.
ગુજરાતના પાંચ લાખ લોકો આ ઉદ્યોગ સાથે જોડાયેલા
અલંગ શીપ બ્રોકિંગ યાર્ડના આ ઉદ્યોગ સાથે ગુજરાતના 5 લાખથી વધુ લોકો જોડાએલા છે. 1983માં પહેલીવાર અલંગના દરિયે જહાજને તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતુ. ભાવનગરનો આ ઉદ્યોગ સૌથી મોટો ઉદ્યોગ જાહેર કરવામાં આવ્યો છે. જો કે આ જહાજ ભાંગવાના ઉદ્યોગોમાં પ્રદૂષણ, સેફ્ટી વગેરે વિભાગોની મંજૂરી લેવી પડે છે.
સોથી પહેલા જહાજમાંથી ઈંધણ કાઢી લેવામાં આવે છે. પર્યાવરણને પ્રદૂષિત કરનારા પદાર્થ અને ધાતુને અલગ અલગ કરવામાં આવે છે તે બાદ જ શિપને તોડવાની મંજૂરી આપવામાં આવે છે. દ. ભારત, ઉત્તર ભારપત સહિત ઘણા રાજ્યોમાં અલંગથી ફર્નિચર, લોખઁડ અને ઈલેક્ટ્રોનીક આઈટમ પણ મોકલવામાં આવે છે. રાજસ્થાનમાં ફ્રર્નિચર વેચવામાં આવે છે જ્યારે પંજાબમાં લોખંડ વેચવામાં આવે છે.