દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIએ પોતાના ગ્રાહકોને ફ્રોડથી બચવા માટે જાગરૂપ રહેવાનું કહ્યું છે. SBIએ ટ્વીટ કરી પોતાના બેન્ક ખાતાગ્રાહકોને WhatsApp અને સોશિયલ મીડિયા મેસેજથી બચીને રહેવાની સલાહ આપી છે. SBI અનુસાર, આ મેસેજ ગ્રાહકોને ફંસાવી તેની બેન્કિંગ ડિટેલ્સ માંગી શકે છે. SBIએ પોતાના ગ્રાહકોને કોઈ WhatsApp મેસેજના બદલે OTP શેર ન કરવાનું કહ્યું છે.
એપની મદદથી થાય છે ફ્રોડ - આ સ્કેમ પહેલા ગ્રાહકોને OTP સાથે જોડાયેલી જાણકારી આપે છે, અને તેમનો ભરોસો જીત્યા બાદ અસલી OTP શેર કરવાનું કહે છે. આવો WhatsApp મેસેજ હંમેશા કોઈ લિંક સાથે હોય છે, જે ક્લિક કરવા પર બેકગ્રાઉન્ડમાં કોઈ ખતરનાક એપ ઈન્સ્ટોલ થઈ જાય છે. આ એપની મદદથી એટેકર ફોનમાંથી OTP ચોરી શકે છે.
2FA ઓથેંટિકેશન - SBIએ ગ્રાહકોને આશ્વસ્ત કર્યા છે કે બેન્ક તમારા એકાઉન્ટને ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશનના સફળ વેલિડેશન વગર બીજુ કોઈ એક્સેસ નથી કરી શકતું.
શેર ન કરો ડિટેલ્સ - બેન્કે ગ્રાહકોને આગ્રહ કર્યો છે કે, તે પોતાનું કાર્ડ ,એકાઉન્ટ, બેન્ક ક્રેડેન્શિયલ અને OTP કોઈ પણ કિંમત પર કોઈ વ્યક્તિ સાથે શેર ન કરે.
આ નંબર પર કરો રિપોર્ટ - SBIનું કહેવું છે કે, કોઈ પણ ફ્રોડ થાય અને ટ્રાંજેક્શન થાય તો, તમે તુરંત 1800-11-1109 નંબર પર કોલ કરો.
બેન્કે ગ્રાહકોને સલાહ આપી છે કે, કોઈ પણ આવી પોસ્ટથી સાવધાન રહો. માત્ર ઓફિશિયલ ચેનલ્સ પર આવી ઓફર્સની વેલિડિટી ચેક કરો.