જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહક છો અને તેની યોનો એપ અથવા વેબ પોર્ટલનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમારા માટે ખૂબ જ કામના સમાચાર છે. હકીકતમાં 11 અને 13 ઓક્ટોબરે યોનો એસબીઆઈ રાતે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી મેન્ટેનન્સથી જોડાયેલા કામ માટે બંધ રહેશે. આ દરમિયાન બેંકની આ એપ અથવા વેબ પોર્ટલ પર ટ્રાન્ઝેક્શન અથવા બેંકિંગ સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં.
એસબીઆઈના ખાતાધારકો માટે કામના સમાચાર
બેંકની યોનો એપ આ સમય દરમિયાન થઈ જશે બંધ
તમારા અગત્યના કામ પહેલાં જ પતાવી લેજો
એસબીઆઈએ તેના ગ્રાહકો માટે જરૂર સૂચના જારી કરી છે. એસબીઆઈએ કહ્યું છે કે, હકીકતમાં 11 અને 13 ઓક્ટોબરે યોનો એસબીઆઈ રાતે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી મેન્ટેનન્સથી જોડાયેલા કામ માટે બંધ રહેશે. એસબીઆઈએ કહ્યું આ અસુવિધા માટે અમે દિલગીર છીએ અને ગ્રાહકોને વિનંતી કરીએ છીએ કે આ અસુવિધાને ધ્યાનમાં રાખીને તેઓ તેમના કામ કરી લે.
ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ) તેના ડિજિટલ પ્લેટફોર્મ યોનોને એક અલગ એન્ટિટી બનાવવા માટે સક્રિયપણે વિચારણા કરી રહી છે. બેંકના પૂર્વ ચેરમેન રજનીશ કુમારે નિવૃત્તિ લેતા પહેલાં આ વાત કરી હતી. યોનો એટલે 'યૂ ઓનલી નીડ વન એપ્લિકેશન' એ સ્ટેટ બેંકનું એકીકૃત બેન્કિંગ પ્લેટફોર્મ છે.
રજનીશ કુમારે જણાવ્યું કે વાતચીત પ્રારંભિક તબક્કામાં છે, મૂલ્યાંકનનું કામ હજુ બાકી છે. રજનીશ કુમારે યોનોનું વેલ્યુએશન આશરે 40 અબજ ડોલરની આસપાસ હોવાનું અનુમાન લગાવ્યું છે. એસબીઆઇએ ત્રણ વર્ષ પહેલાં યોનો શરૂ કર્યો હતો અને હવે તેમાં 2.60 કરોડ રજિસ્ટર્ડ યુઝર્સ છે. જેમાં 55 લાખ યુઝર્સ રોજ લોગઈન કરે છે અને 4,000થી વધુને પર્સનલ લોન ફાળવવામાં આવી છે અને લગભગ 16 હજાર યોનો કૃષિ એગ્રી ગોલ્ડ લોન આપવામાં આવી છે.