જો તમે ઘર અથવા દુકાન ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે એક ખાસ તક છે. આ તક તમને દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ આપી રહી છે. ચાલો જાણીએ.
ઘર કે દુકાન ખરીદનાર માટે સોનેરી તક
SBI ગ્રાહકો માટે લઈને આવ્યું ખાસ ઓફર
SBI કરશે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીની હરાજી
હકીકતમાં, એસબીઆઈ સમયાંતરે ડિફોલ્ટર્સની રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીની હરાજી કરે છે. સરળ ભાષામાં સમજીએ તો, જે લોકો સમયસર બેંક લોન ચૂકવતા નથી, એવા ડિફોલ્ટર્સ પાસેથી બાકીની લોન વસૂલવા માટે એસબીઆઈ હરાજી કરે છે.
આ હરાજી ડિફોલ્ટર્સની મિલકતની કરવામાં આવે છે. આ અંતર્ગત એસબીઆઈ ફરી એક વખત હરાજી કરી રહી છે. આ હરાજી 26 ફેબ્રુઆરી, 2020ના રોજ કરવામાં આવશે.
કઈ રીતે અપ્લાઈ કરવું
આ હરાજીમાં ભાગ લેવા માટે તમે ઓનલાઇન અરજી કરી શકો છો. આ હરાજી વિશેની વિગતવાર માહિતી માટે https://bank.sbi/web/sbi-in-the-news/auction-notices/mega-e-auction લિંક પર ક્લિક કરી શકો છો. અહીં બેંકની તરફથી જરૂરી ડિજિટલ ડોક્યૂમેન્ટ પણ માંગવામાં આવ્યા છે.
આમાં ડિજિટલ હસ્તાક્ષર ઉપરાંત કેવાયસી દસ્તાવેજો સામેલ છે. જ્યારે EMD એટલે કે અર્નેસ્ટ મની ડિપોઝિટની પણ માંગ કરવામાં આવી છે. એસબીઆઇએ કોર્ટના આદેશ બાદ જ આ સંપત્તિની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે, તમારે મિલકતની માન્યતા અથવા માલિકી વિશે ચિંતા કરવાની જરૂર નથી. આ સંપત્તિ ચેન્નાઈ, મુંબઇ, બેંગલુરુ અને દિલ્હીથી લઈને દેશના તમામ ભાગોમાં ફેલાયેલી છે. આ સંપત્તિની કિંમત રિયલ એસ્ટેટ કરતા ઓછી હોવાની અપેક્ષા છે.