કૃષિપ્રધાન આર.સી ફળદુ દ્વારા કરાઈ જાહેરાત, 15 ઓક્ટોબરથી 15 નવેમ્બરમાં 50 મિલી.મી.થી વધુ વરસાદ પડશે તો, માવઠું ગણાશે.
કૃષિમંત્રી આર.સી ફળદુનું નિવેદન
આર.સી ફળદુનું માવઠાંને લઈને નિવેદન
50 મિલી.મીટરથી વધુ વરસાદ માવઠું ગણાશે
કૃષીમંત્રી આર.સી ફળદુએ વિધાનસભામાં મહત્વનું નિવેદન આપ્યુ છે. આર.સી ફળદુએ માવઠાને લઈને નિવેદન આપ્યું છે. 50 મિલીમીટરથી વધુ વરસાદ પડે તો જ માવઠું ગણવામાં આવશે.15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં 50 મિલીમીટરથી વધુ વરસાદને માવઠું ગણવામાં આવશે તેવું નિવેદન આપ્યું છે.
તો બીજી તરફ કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતોને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલે આગાહી કરી છે કે, ગલ્ફમાંથી ઉડતી ધૂળ કચ્છના વિસ્તાર પર આવી શકે છે. દરિયા કિનારા વિસ્તારમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. 12 થી 15 માર્ચમાં વાતાવરણ પલટો આવવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને માવઠું થવાની શકયતા છે.