સ્ક્રબ ટાઇફસ (Scrub Typhus) બીમારી ઓરિયેંટિયા સુટસુગમશી નામના જીવાણુથી થાય છે. સ્ક્રબ ટાઈફસ જીવાણુજનિત સંક્રમણ છે જે મોતનું કારણ બને છે.
અહીં વધ્યો નવી રહસ્યમયી બીમારીનો ખતરો
કાળા ચકામાથી શરૂ થઈને ધકેલે છે મોતના મુખમાં
સ્ક્રબ ટાઈફસ જીવાણુજનિત સંક્રમણ છે
આ બીમારી ઓરિયેંટિયા સુટસુગમશી નામના જીવાણુથી થાય છે
પશ્ચિમી ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં રહસ્યમયી બીમારી હવે સ્ક્રબ ટાઈફસના રૂપમાં સામે આવી છે. જ્યારે આ બીમારીનો ખ્યાલ આવ્યો તો સ્વાસ્થ્ય વિભાગે ટીમને સેમ્પલ લેવા કહ્યું. તેની તપાસમાં સામે આવ્યું કે આ બીમારી સ્ક્રબ ટાઈફસ છે. આ બીમારીથી જિલ્લામાં અત્યારસુધીમાં 12 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.
આસામમાં પણ વધી રહ્યા છે કેસ
2 દિવસ પહેલા આસામમાં એક રિપોર્ટ સામે આવ્યો જેમાં ગુવાહાટીના કોવિડ હોસ્પિટલને 15 દિવસ બંધ કરાઈ છે કેમકે અહીં સ્ક્રબ ટાઈફસના કેસ મળ્યા. આ બીમારીના 29 દર્દીઓ સામે આવ્યા છે. આ બેક્ટ્રિયલ બીમારીમાં હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ પણ આવ્યા હતા. આ સિવાય કેટલીક નર્સ અને હેલ્થ સ્ટાફ પણ આ બીમારીનો શિકાર બન્યો છે.
શું છે સ્ક્રબ ટાઈફસ
આ બીમારી ઓરિયેટિયા સુટસુગમુશી નામના જીવાણુથી થાય છે. આ એક પ્રકારની સંક્રમિત ધૂનના કરડવાથી થાય છે. સ્ક્રબ ટાઈફસ એક જીવાણુજનિત સંક્રમણ છે જે લોકોના મોતનું મોટું કારણ બની શકે છે. તેના લક્ષણો ઘણે અંશે ચિકનગુનિયાને મળે છે. આ બીમારી એટલી ખતરનાક છે કે કોઈનો જીવ પણ લઈ શકે છે. તેનાથી બચવા માટે કપડા અને પથારી પર પરમેથ્રિન અને બેંઝિલ બેંજોલેટનો છંટકાવ કરવો. આ સિવાય કોઈ વ્યક્તિમાં તેના લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરી લેવો.
જાણો શું છે આ બીમારીના લક્ષણો
તેના પ્રમુખ લક્ષણોમાં તાવ, માથું દુઃખવું, શરીરમાં દર્દ, અને સ્કીન પર કાળા ચકામા થવા લાગે છે. અનેક કેસમાં માંસપેશીમાં સોજાની ઘટના પણ સામે આવી છે.
શું તેની કોઈ વેક્સિન છે?
સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલના જણાવ્યા અનુસાર આ બીમારીની કોઈ વેક્સિન નથી. એકમાત્ર ઉપાય છે સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવું. કોરોનાની જેમ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન અહીં પણ કારગર નીવડી શકે છે.