મોટાભાગના મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન કોઈપણ ભક્ત મંદિરના ગર્ભગૃહમાં જઈને ભગવાનની પૂજા કરી શકશે નહીં.
સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ
કોરોના નિયમો સાથે મંદિરમાં મળશે પ્રવેશ
કાવડ યાત્રા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
કોરોનાએ ગયા વર્ષ શ્રાવણમાસમાં ભક્તોને ભોળાનાથથી દૂર રાખ્યા હતા. પણ બીજી લહેર બાદ કોરોનાની સ્થિતિ કાબુમાં આવતા આ શ્રાવણમાસમાં મોટાભાગ શિવાલયો ખુલ્લા રાખવામાં આવ્યા છે. સરકારે શ્રાવણમાસ અને તહેવારોને લઈ ચુસ્ત ગાઈડલાઇન બહાર પાડી છે જેનું પાલન કરવું દરેક માટે ભક્તો માટે ફરજિયાત છે. મંદિર ટ્રસ્ટોએ પણ કોરોનાને લઈને તમામ તૈયારીઓ કરી લીધી છે.
કોરોનાની ગાઇડ લાઇનનું કડક પાલન
સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થવા જઈ રહ્યો છે.કોરોના સંક્રમણ વધે તેવી ભીતિ દેખાતા મંદિરો બહાર કોરોના અંગેની ગાઈડ લાઈનની સ્પષ્ટ સૂચના લખવામાં આવી છે.શિવ ભક્તો વધુ સંખ્યામાં એકઠા ન થાય તે માટે પણ મોટાભાગના મંદિરોમાં વ્યવસ્થા કરી દેવાઈ છે. શ્રાવણ માસ દરમિયાન કોઈપણ ભક્ત મંદિરના ગર્ભગૃહમાં જઈને ભગવાનની પૂજા કરી શકશે નહીં. મંદિરોમાં ભક્તોની ભીડ ન થાય તેની તકેદારી રાખવામાંની જવાબદારી પણ મંદિરોને સોંપાઈ છે. સુરત અને દક્ષિણ ગુજરાતના બધા મંદિરોમાં સરકારની ગાઇડ લાઈન પ્રમાણે મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશને નો-એન્ટ્રી કરવામાં આવી છે. તો અમુક મંદિરોમાં માત્ર 10 થી 15 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. ઘણા કડક નિયમો મંદિર ટ્રસ્ટને લીધા છે જેમાં ઘણાં મંદિરોમાં અભિષેક પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કાવડ યાત્રાને પણ બંધ રાખવામાં આવી છે.સંક્રમણ અટકાવવા મંદિરના પટાંગણમાં કે મંદિરના પટાંગણની બહાર પૂજાની સામગ્રી વેચવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કયા નિયમો પાળશો તો મંદિરમાં મળશે પ્રવેશ?
1 મદિરમાં પ્રવેશ માટે ફરજિયાત માસ પહેરવું જરૂરી
2 મંદિરમાં ભીડ ભેગી ન થાય તે માટે સામાજિક અંતર રાખવું જરૂરી
3 મોટાભાગના મદિરોમાં ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશને નો-એન્ટ્રી
4 ઘણાં મંદિરોમાં અભિષેક પર પણ પ્રતિબંધ
5 કેટલાક મંદિર ટ્રસ્ટે પૂજાની સામગ્રી વેચવા પર પ્રતિબંધ ફરમાવ્યો
6 મોટા તીર્થધામમાં આરતીમાં દર્શનાર્થીઓને પ્રવેશ પર રોક લાગી શકે છે.
હજુ સુધી સરકાર તરફથી કોઈ એડવાઇઝરી જાહેર કરવામાં આવી નથી. પણ જિલ્લા પ્રમાણે જવાબદાર અધિકારીઓ મંદિર ટ્રસ્ટને સાથે રાખી આ અંગે નિર્ણયો લઈ રહ્યા છે
જો વધારે ભીડ ભેગી થશે તો...
શ્રાવણ મહિનામાં તહેવારોને લઈને સરકાર ગાઈડલાઈન જાહેર કરી શકે છે. જેમાં ધાર્મિક મેળાવડાઓ યોજવા ઉપર પ્રતિબંધ લગાવવાની વિચારણાં છે. મોટા તીર્થધામમાં આરતીમાં દર્શનાર્થીઓને પ્રવેશ નહીં મળી શકે. સોમનાથ, દ્વારકા, ડાકોર, જેવા મંદિરમાં ટોકન પદ્ધતિથી પ્રવેશ આપવાની શક્યતા છે. અને અંબાજી મંદિરમાં યોજાતા ભાદરવી પૂનમના મેળા ઉપર પ્રતિબંધની શક્યતા છે.