મનુષ્ય પોતાના જીવનમાં સુખ પાછળ જ ભાગતો હોય છે. કારણકે સુખ એક એવી વસ્તુ છે જે સૌથી વધારે કિમતી અને મહત્વનુ છે. જીવનમાં પૈસા નહી હોય પરંતુ પરિવારનો સાથ હશે તો તે સુખના કારણે બીજી તકલીફો દુર થઇ જશે અને મનુષ્ય આરામ અનુભવશે.
સુખ મેળવવા માટે કરો આ વસ્તુનો ત્યાગ
ભૌતિક સુખ કરતા વધારે મહત્વનું માનસિક સુખ
જરૂરિયાત ઓછી એટલુ વધારે સુખ
ભૌતિક સુખ કરતા વધારે મહત્વનું માનસિક સુખ છે. માણસ ભૌતિક સુખ પાછળ એટલા માટે જ ભાગે છે કારણ કે તેને લાગે છે કે આટલી વસ્તુઓ મારી પાસે હશે તો મને માનસિક શાંતિનો અનુભવ થશે, અર્થાત જીવનમાં સૌથી મહત્વનું સુખ છે.
સુખ મેળવવાનો એક ઉપાય છે ત્યાગ, જીવનમાં જો ત્યાગ ભાવના હશે તો તમે જીવનના અણમોલ પળ ભોગવી શકશો. જે આપણુ છે જ નહી તેના માટે શા કારણે આપણે કકળાટ કરવો જોઇએ. જીવન પણ માતાએ આપેલી દેન છે. આપણે તો જાતે જન્મી પણ નથી શકતા અને મૃત્યુ બાદ જાતે પોતાની જાતનો અંતિમ સંસ્કાર પણ નથી કરી શકતો. તો માનવને કઇ વાતનો ઘમંડ હોય છે. આ ઘમંડ જ તેને લઇ ડૂબે છે કારણકે ઘમંડ છોડવાની ભાવના માણસમાં નથી. જો તમે ત્યાગ કરી શકશો તો સુખ તમારી પાસેથી ક્યાંય નહી જાય.
સુખ મેળવવા માટેના વિચાર
સુખ મેળવવા માટે અપેક્ષા અને જરૂરિયાત બંને ઓછા હોવા જરૂરી છે. આ બંને ઓછા હોય તો જીવનમાં સુખ જ સુખ થઇ જાય છે.
ભવિષ્યને સુખી બનાવવા માટે આજના સુખનુ બલિદાન આપવું પડે છે.
અહંકારનો ત્યાગ તમને લોકપ્રિય બનાવે છે, ગુસ્સાનો ત્યાગ દુખોને દુર લાગે છે અને સુખી થવા માટે લોભનો ત્યાગ જરૂરી છે.
જે ત્યાગથી મનમાં કડવાશ આવી જાય તે તમને ક્યારેય શાંતિના માર્ગ પર નહી લઇ જઇ શકે.
સંસારમાં સૌથી મોટો અધિકાર તમને બે વસ્તુઓ દ્વારા જ મળી શકે એક સેવા અને બીજુ ત્યાગ.