વાયુ વાવઝોડાની આફત ટળી છે જો કે, રાજ્યના કેટલાય સ્થળો પર વરસાદ થયો છે ત્યારે અમદાવાદમાં પણ ભારે પવન સાથે મેઘ મહેર થવા પામી હતી. અચાનક વાતાવરણમાં પલટા બાદ એકાએક વરસાદ તૂટી પડતા નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કાળઝાળ ગરમીથી શેકાતા અમદાવાદમાં આજરોજ અચાનક ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકો ગેલમાં આવી ગયા હતા. વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં બાળકો વરસાદમાં પલળવા માટે રસ્તા પર આવી ગયા હતા.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 13, 2019
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આજે સવારથી જ વાદળછાંયુ વાતાવરણ હતું અને ગઇકાલે પણ શહેરના નરોડા, રાણીપ, માનસી ચાર રસ્તા પાસે વરસાદ થયો હતો જો કે, આજરોજ SG હાઇવે , બોડક દેવ , માનસી સહિતના વિસ્તારમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક ફેલાઇ હતી.
વાવાઝોડાનું સંકટ આખરે ગુજરાત પરથી ટળ્યું
વાયુ વાવાઝોડાનું સંકટ આખરે ગુજરાત પરથી ટળ્યું છે. વાયુ વાવાઝોડાએ પોરબંદરથી 250 કિમી દૂર સમુદ્રમાં ટર્ન લીધો છે. અરબી સમુદ્રમાં વાયુ વાવાઝોડાએ એડનના અખાત બાજુ ટર્ન લીધો છે અને શનિવાર સુધી વાયુ વાવાઝોડું સમુદ્રમાં જ રહેશે.અને શનિવારે સાંજે તે સમુદ્રમાં જ વિખેરાઈ જશે.
જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ સુધી વાવાઝોડાની અસર રહેશે. તો ગીર-સોમનાથ, પોરબંદર, દ્વારકા અને અમરેલીમાં 40થી 70 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. જ્યારે ગીર, પોરબંદર અને દ્વારકામાં હળવાથી ભારે વરસાદની પણ સંભાવના છે. જ્યારે બે દિવસ સુધી ભારે પવન સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની પણ શક્યતા છે.