સુરતના ભાવનગર વાયા ગોગા રો-રો ફેરીનું પ્રથમ બુકિંગ ઓફિસનું સુરત ખાતે ઉદ્ધાટન કરાવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણી ઉપસ્થિત રહ્યા હતા.
સુરત ખાતે સૌરાષ્ટ્ર વાસીઓ માટે ખુશીના સમાચાર છે. પ્રાઈવેટ બસોમાં મુસાફરી કરતા અને હેરાન થતા લોકોને માટે આજથી રો-રો ફેરીની સુવિધાનો લાભ મળશે. ગોગાથી ભાવનગરની રો-રો ફેરી સર્વિસ જે શરૂ થાય છે. મુસાફરોએ અહીં બુકિંગ કરાવી બસ તેમના ઘરેથી તેમને લઈ દહેજથી ટુરિસ્ટ પ્લેસ પણ જોવા મળશે. સાથે લોકોના સમયની પણ બચત થશે.
સુરત ખાતે રાહી હોલિડેસ અને સીતારામ એન્ટરપ્રાઈજનું એક જોઈન્ટ મિશન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં સુરતથી મહુવા પાલિતાણા ભાવનગર રો-રો ફેરી દ્વારા બસ સર્વિસની તૈયારી છે. હાલ પણ બે ટાઈમ બસ જાય છે. એક સવારે અને એક સાંજે લોકોને લગેજની પણ ચિંતા નહિ રહે. લોકો માટે એક અનોખો એડવેન્ચર રહેશે.