કેવડિયામાં આજથી ઓલ ઈન્ડિયા ડીજી કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. સાધુબેટ ખાતે ટેન્ટસિટી નર્મદા-2માં આ કોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઉચ્ચ અધિકારીઓ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે.
નર્મદાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આજથી 3 દિવસ સુધી તમામ રાજ્યના DGની કોન્ફરન્સ મળવાની છે ત્યારે તમામ રાજ્યના DGP નર્મદાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પહોંચી ગયા છે.
સેન્ટ્રલ આઈબીના અધિકારીઓએ આ કોન્ફરન્સ અંતર્ગત કડક સુચનાઓ આપી છે. જેના ભાગસ્વરૂપે મીડિયા માટે પણ ક્રાર્યક્રમમાં પ્રવેશ બંધી કરાઈ છે. જો મીડિયા પ્રવેશ કરશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવા માટે આઈબીએ આદેશ આપ્યા છે.
આજે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ તો 21મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોન્ફરન્સમાં હાજરી આપશે. એક મળતાં અહેવાલ મુજબ કેન્દ્રિય ગૃહપ્રધાન રાજનાથસિંહ આજરોજ રાત્રી રોકાણ પણ કરશે. રાજનાથસિંહ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની પણ મુલાકાત લેશે.
આજથી ત્રણ દિવસ ઓલ ઇન્ડિયા ડીજી ફોન્ફરન્સનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે ડીજી કોન્ફરન્સને લઇને પૂર્વ કેવડિયામાં વિરોધનો વંટોળ જોવા મળ્યો છે.
કેવડિયા ગામને સ્થળાંતરીત કરીને વિવિધ રાજ્યના ભવન બનાવવા સામે વિરોધ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ 3 દિવસ ગરુડેશ્વર તાલુકો બંધ રાખવાનું એલાન કર્યું છે.