દેશમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. કેરળમાં ચોમાસાનો પ્રારંભ થયો છે અને દક્ષિણ-પશ્ચિમમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઇ ગઇ છે. જ્યારે કેરળના બે દિવસ બાદ ઉત્તર-પૂર્વમાં ચોમાસાનું આગમન થશે. જ્યારે ગુજરાતમાં 15થી 21 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.
ગુજરાત અને રાજસ્થાનમાં સારા વરસાદની સ્કાયમેટે આગાહી કરી છે. તો વલસાડના ઉમરગામ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ઉમરગામના આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યા છે. વરસાદી ઝાપટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને અસહ્ય ગરમીથી આંશિક રાહત મળી છે. તો બીજી બાજુ વરસાદને કારણે કેરીના પાકેને નુકશાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
તમને જણાવીએ કે, રાજ્યભરમાં કાળઝાળ ગરનીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ખેડૂતો કાગડોળે ચોમાસાની રાહ જોઇ રહ્યા છે. જો કે ગુજરાતમાં અલનીનોની ઇફેક્ટના કારણે ગુજરાતવાસીઓએ થોડા દિવસ રાહ જોવી પડશે અલનીનોની ઇફેક્ટના કારણે રાજ્યમાં ચોમાસામાં વિલંબ થયો છે.