6 બેઠક પર અનામતના નિયમ પ્રમાણે મેયરની પસંદગી થશે. ક્યાંક મેયર પદે મહિલાની પસંદગી કરવામાં આવશે.
અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની જીત
અમદાવાદમાં મેયરપદને લઇને મંથન શરૂ
મનપામાં પ્રથમ અઢીવર્ષ માટે મેયર પદ SC માટે અનામત
રાજ્યની 6 મનપામાં ભાજપની જીત બાદ મંથન શરૂ થઈ ગયું છે. તમામ મનપાના મેયર પદ માટે ભાજપમાં મનોમંથન શરૂ થઈ ગયું છે. 6 બેઠક પર અનામતના નિયમ પ્રમાણે મેયરની પસંદગી થશે. ક્યાંક મેયર પદે મહિલાની પસંદગી કરવામાં આવશે. મેયર પદ માટે 6 મનપામાં કેટલાક નામ ચર્ચામાં છે.
અમદાવાદ સહિત ગુજરાતની 6 મનપામાં ભાજપે પોતાની જીત યથાવત્ રાખી હતી. જે બાદ હવે મેયર પદ માટે મંથન શરૂ થઈ ચૂક્યું છે. મનપામાં પ્રથમ અઢીવર્ષ માટે મેયર પદ SC અનામત છે. તો અમદાવાદ પૂર્વમાંથી મેયર બને તેવી શક્યતા દેખાઈ રહી છે. મેયર પદ માટે ખોખરામાંથી જીતેલા ચેતન પરમાર પ્રબળ દાવેદાર હોવાની પણ ચર્ચા છે.
અમદાવાદમાં મેયરપદ માટે હિમાંશુ વાળાનુ ચર્ચામા
અમદાવાદ મેયપદ માટે ડો.ચંદ્રકાન્ત ચૌહાણ, રાજેન્દ્ર સોલંકી ચર્ચામા
વડોદરામાં મેયરપદ માટે પરાક્રમસિહ જાડેજા, ડો.હિતેન્દ્ર પટેલનુ નામ ચર્ચામાં
મેયરપદ માટે કેયુર રોકડીયા અને મનોજ પટેલનુ નામ ચર્ચામાં
રાજકોટમાં મેયરપદ માટે ડો.અલ્પેશ મોરજરીયાનુ નામ ચર્ચામાં
રાજકોટમાં હિરેન ખીમાણીયા, બાબુભાઈ ઉધરેજાનુ નામ ચર્ચામાં
સુરતમાં મેયરપદ માટે દર્શીની કોઠીયા, હેમાલીની બોઘાવાલાનુ નામ ચર્ચામાં
ભાવનગરમાં મેયરપદ માટે વર્ષાબા પરમારનુ નામ ચર્ચમાં
મેયરપદ માટે કીર્તીબેન દાણીધરીયા, યોગીતાબેન ત્રિવેદીનુ નામ ચર્ચામાં
જામનગરમાં મેયરપદ માટે બીનાબેન કોઠારીનુ નામ ચર્ચમાં
જામનગરમાં મેયરપદ માટે કુસુમ પંડ્યા, ડિંપલ રાવલનુ નામ ચર્ચામાં