આ બિઝનેસમાં તમારે પૈસા પણ ઓછા ચુકવવા પડશે અને નફો પણ વધારે થશે.
આ રીતે શરૂ કરો તુલસીની ખેતી
તુલસીની ખેતી બનાવશે લાખોપતિ
માર્કેટમાં વધી રહી છે તુલસીની માંગ
જો તમે પણ ઓછા રોકાણમાં પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો આ ખબર તમારા માટે છે. આ બિઝનેસમાં તમારે પૈસા પણ ઓછા ચુકવવા પડશે અને નફો પણ વધારે થશે. અહીં આજે અમે તમને એક એવા બિઝનેસ આઈડિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે પોતાની જોબની સાથે અથવા ઘરે બેઠા પણ કરી શકો છો. તુલસીની ખેતી એક એવો બિઝનેસ છે જેને તમે ખૂબ ઓછા સમયમાં કરી શકો છો અને લાખો રૂપિયાની કમાણી કરી શકો છો.
તુલસીની ખેતી બનાવશે લાખોપતિ
હિંદૂ ધર્મમાં તુલસીના છોડનું આધ્યાત્મિક અને આયુર્વેદિક મહત્વ પ્રાચીન સમયથી રહ્યું છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ છોડ તમને લાખોપતિ પણ બનાવી શકે છે. તુલસીના છોડનો બિઝનેસ કરીને તમે લાખો રૂપિયા કમાઈ શકો છો. તેમાં તમને ખૂબ વધારે રોકાણ કરવાની પણ જરૂર નથી. આવો જાણીએ આ બિઝનેસ સાથે જોડાયેલી દરેક જાણકારીઓ.
ગુણોની ખાણ છે તુલસી
તુલસીના છોડનું વિશેષ ઔષધીય મહત્વ ખૂબ વધારે હોય છે. આ છોડના મુળ, પત્તા, ડાળીઓ સહિત દરેકનો ઉપયોગ દવાઓ બનાવવા માટે થાય છે. માટે તુલસીના પત્તાની ડિમાન્ડ પણ ખૂબ વધી રહી છે. આજના સમયમાં પણ તુલસીના છોડનો પ્રયોગ ઘરગથ્થુ ઉપાયો માટે કરવામાં આવે છે. સાથે જ આયુર્વેદિક દવાઓમાં, યુનાની, હોમિયોપેથી તથા એલોપેથીની પણ દવાઓમાં તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે.
માર્કેટમાં વધી રહી છે તુલસીની માંગ
માર્કેટમાં તુલસીની ડિમાંડ વધી રહી છે. આજકાલ લોકોમાં ઈમ્યુનિટી પાવર વધવા માટે ખૂબ જાગરૂકતા આવી છે. સાથે જ રોગ પ્રતિરાક ક્ષમતા વધારતી આયુર્વેદિક તથા પ્રાકૃતિક દવાઓ પણ બનાવવામાં આવે છે જેમાં તુલસીનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. માટે તુલસીની ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે. એટલું જ નહીં ઘરમાં પણ આજકાલ લોકો તુલસીનો ખૂબ ઉપયોગ કરી રહ્યા છે.
જાણો કઈ રીતે કરશો તુલસીની ખેતી?
તુલસીની ખેતી કરવા માટે જુલાઈના મહિનો બેસ્ટ માનવામાં આવે છે. સામાન્ય છોડને 45x45 સેન્ટીમીટરના અંતરપર લગાવવામાં આવે છે. પરંતુ RRLOC 12 અને RRLOC 14 પ્રજાતિના છોડ માટે 50 x 50 સેન્ટીમીટરની દૂરી જરૂર રાખવામાં આવે છે. આ છોડને લગાવ્યા બાદ તરત જ થોડી સિંચાઈ જરૂરી હોય છે. તુલસીની ખેતીના એક્સપર્ટ જણાવે છે કે પાકને કાપવાના 10 દિવસ પહેલા જ સિંચાઈ કરવાનું રોકી દેવું જોઈએ.
યોગ્ય સમય પર કરો કાપણી
તુલસીના છોડના પત્તા મોટા થવા પર આ છોડની કાપણી કરવામાં આવે છે. આ છોડમાં ફૂલ આવી જાય તો તેમાં કેલની માત્રા ઘટી જાય છે માટે આ છોડમાં ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે જ તેની કાપણી કરવી જોઈએ. આ છોડની કાપણી 15થી 20 મીટરની ઉંચાઈથી કરવાનું યોગ્ય માનવામાં આવે છે. જેનાથી છોડમાં જલ્દી નવા ડાળા આવી શકે.
જાણો ક્યાં અને કઈ રીતે વેચી શકાય તુલસી?
હવે સવાલ ઉઠે છે કે આ ફળને ક્યાં વેચવા જોઈએ? આ છોડને વેચવા માટે તમારે માર્કેટના એજન્ટનો સંપર્ક કરવો પડશે અથવા સીધા માર્કેટમાં લઈ જઈને ગ્રાહકોનો કોન્ટેક્ટ કરી છોડવે વેચી શકો છો. આ ઉપરાંત તમે કોન્ટ્રેક્ટ પર ખેતી કરાવતી દવાઓની કંપની અથવા આવી એજન્સીઓને પણ છોડ વેચી શકો છો. આ કંપનીઓને તુલસીની ડિમાન્ડ વધી રહી છે. જેથી તમને વેચાણમાં દિક્કત નહીં આવે.
15000 રૂપિયાના રોકાણ પર થશે 3 લાખનો નફો
આ બિઝનેસની સૌથી સારી ખાસિયત એ છે કે તુલસીની ખેતી કરવા માટે તમને ખૂબ વધારે રોકાણની જરૂર નહી પડે અને ન વધારે જમીનની જરૂર પડશે. તમે ફક્ત 15000નો ખર્ચ કરી અહીં બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો અને ઈચ્છો તો કોન્ટ્રેક્ટ ફાર્મિગ દ્વારા પણ પોતાના વ્યાપારની શરૂઆત કરી શકો છો.