ભગવાન શિવના ઘણા મંદિરોના દર્શન તમે લોકોએ કર્યા હશે. પરંતુ આજે અમે તમને શિવજીના એક એવા મંદિર માટે કહેવા જઇ રહ્યા છીએ જેના માટે જાણીને તમને હેરાની થશે. જી હાં અમે ભગવાન શિવનું આ મંદિર દિવસમાં બે વખત ગુમ થઇ જાય છે. મંદિર એની આ ખાસિયતના કારણે આ મંદિર ભક્તોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીં આવનાર દરેક ભક્ત દરરોજ આ મંદિરને ગુમ થતા જોવે છે. આ મંદિર ગુજરાતના વડોદરાથી થોડેક દૂર જંબુસર તાલુકાના કાવી કંબોઇ ગામમાં સ્તંભેશ્વર મહાદેવ મંદિર નામથી સ્થિત છે. આ અદ્ધુત સ્તંભેશ્વર મહાદેવ મંદિરને ગુમ મંદિર નામથી પણ ઓળખવામાં આવે છે.
આ કારણથી ગુમ થઇ જાય છે મંદિર
જો કે આંખોની સામેથી ગુમ થઇ ગયા બાદ થોડાક જ સમયમાં પોતાના સ્થાન પર નજરે જોવા મળે છે. આમ તો આ કોઇ ચમત્કાર નથી પરંતુ પ્રકૃતિની એક મનોહારી પરિઘટના છે. દરિયા કિનારે મંદિર હોવાને કારણે જ્યારે ભરતી આવે છે ત્યારે આખુ મંદિર દરિયામાં સમાઇ જાય છે. આ જ કારણ છે કે લોકો મંદિરમાં દર્શન ત્યાં સુધી કરી શકે છે જ્યારે દરિયામાં મોજા ઓછા હોય. આવું વર્ષોથી થતું આવ્યું છે આ આજની વાત નથી. ભરતીના સમયે દરિયાનું પાણી મંદિરની અંદર આવે છે અને શિવલિંગનો અભિષેક કરીને પાછું જતું રહે છે. આ ઘટના દરરોજ સવાર અને સાંજે થાય છે. અરબ સાગરના મધ્ય કેમ્બે કિનારા પર સ્થિત મંદિરમે જોવા માટે ભક્તોની ભીડ લાગેલી રહે છે.