રંગોના તહેવાર ધૂળેટીમાં ગમે કેટલી દરકાર રાખો તોય, બુરા ન માનો હોલી હૈ કહીને ઘરે કે રસ્તે કોઈને કોઈ ધાર્યુ કે અણધાર્યુ રંગી જ નાંખે છે ત્યારે તમારા ખીસ્સમાં રહેલી નોટો ઉપર પણ ક્યારેક રંગ લાગી જાય છે. તો હવે આવી રંગ લાગેલી નોટો તમે બદલાવી શકો છો આ માટે RBI એ ખાસ વ્યવસ્થા ગોઠવી છે.
ચોંટાડેલી નોટો પણ બેંકે સ્વીકારવી પડે
ફાટેલી નોટોનું શું?
કઈ નોટો બેંક સ્વીકારી શકે
ચલણી નોટો અંગે ભારતીય રિઝર્વ બેંકે વર્ષ 2017માં એક સકર્યુલર બહાર પાડ્યો હતો. આ સકર્યુલર એ વિશે હતો કે બેંક કઈ નોટોનો સ્વીકાર કરી શકે છે અને કઈ નહીં.
કઈ નોટો બેંક સ્વીકારી શકે
સકર્યુલર મુજબ, જો કોઈ પણ નોટ પર કોઈ રાજકીય સ્લોગન લખેલું હોય, તો આ નોટ અસ્વીકાર્ય હશે. તેને કોઈ પણ બેંક માન્ય નહીં કરે. RBI એ પોતાના સકર્યુલરમાં સ્પષ્ટ કર્યું છે કે આવી નોટ ટેન્ડર નહીં રહે. એનો મતલબ એ છે કે આવી નોટ દેશની કોઈ પણ બેંક માન્ય નહીં કરે. તે પૂરી રીતે રદ થઈ જશે. ગમે તેટલા રૂપિયાની કિંમતની નોટ હોય તો પણ તે ન ચાલે. RBI મુજબ, કોઈ પણ બેંક રંગાયેલી નોટોને લેવાથી ઇન્કાર ન શકી શકે. જોકે તેની સાથે જ RBIએ લોકોને સૂચન કર્યું છે કે આ નોટોને ગંદી ન કરો.
ફાટેલી નોટોનું શું?
સકર્યુલરમાં કહેવામાં આવ્યું છે કે બેંક આવી કોઈ પણ નોટનો સ્વીકાર ન કરે, જે જાણી જોઈને ફાડવમાં આવી હોય. આરબીઆઈનું કહેવું છે કે, આમ તો જાણી જોઈને ફાડવામાં આવેલી નોટોની ઓળખ મુશ્કેલ છે, પરંતુ જો ફાટેલા નોટોને ધ્યાનથી જોવામાં આવે તો ખબર પડી શકે છે.
ચોંટાડેલી નોટો પણ બેંકે સ્વીકારવી પડે
જો તમારી પાસેની નોટ મેલી થઈ ગઈ છે કે પછી ફાટી ગઈ છે, પરંતુ તેની પર તમામ જરૂરી જાણકારી વાંચી શકાય છે તો બેંક આવી નોટને બદલવાથી ઇન્કાર ન કરી શકે. સકર્યુલર મુજબ બેંકોને એવી પણ નોટ બદલવી પડશે જે બે ટુકડામાં ફાટેલી હશે. પરંતુ નોટો પર જરુરી જાણકારી હોવી જોઈએ. બેંકોને તે નોટોનો પણ સ્વીકાર કરવો પડશે જે ચોંટાડેલી હોય.