આજે લોકસભાની ચૂંટણીમાં અંતિમ તબક્કાનું મતદાન યોજાવાનું છે. જેને લઇને તમામ પ્રકારની તૈયારોઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ સાથે જ તમામ વિસ્તારને ધ્યાનમાં રાખીને કોઇપણ પ્રકારનો અઘટિત બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રવિવારે 7 રાજ્યોની 59 બેઠકો પર મતદાન યોજાવાનું છે. ખાસ કરીને વારાણસી બેઠક પર આવતીકાલે મતદાન યોજાવા જઇ રહ્યું છે. આ બેઠક પર દેશ સહિત વિશ્વની નજર છે કારણ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
આજે અંતિમ તબક્કાનું મતદાન યોજાવા જઇ રહ્યું છે જેમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, મનોજ સિન્હા, આર.કે.સિંહ, હરદીપસિંહ પુરી અને અનુપ્રિયા પટેલ મેદાનમાં છે. આ તમામ નેતાઓના ભાવી રવિવારે પ્રજા નક્કી કરવાની છે.
આપને જણાવી દઇએ કે, બિહારની 8, હિમાચલ પ્રદેશની 4, મધ્યપ્રદેશની 8 બેઠક, પંજાબની 13, ઉત્તરપ્રદેશની 13 બેઠકો, પ.બંગાળની 9, ઝારખંડની 3, ચંદીગઢની 1 બેઠક પર મતદાન યોજાવાનું છે.
દિગ્ગજ નેતાઓના ભાવિનો થશે ફેંસલો
રવિવારે લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. છેલ્લા તબક્કામાં દેશના આઠ રાજ્યોની 59 સીટો પર મતદાન યોજાશે. આ તમામ સીટો પર પીએમ મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓના ભાવિનો ફેંસલો થશે.
લોકસભા-2019ની ચૂંટણીનું આગામી 23 મેના રોજ પરિણામ જાહેર થશે. આવો તો જાણીએ કે છેલ્લા તબક્કામાં કયા રાજ્યોની લોકસભા સીટો પર વોટિંગ થશે અને કયા કયા ઉમેદવારો મેદાને છે. જો કે સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે આયોગના નિર્દેશ પર પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર ગુરૂવાર રાતથી જ બંધ થઇ ગયો છે. 2019ની લોકસભાની ચૂંટણી આખરે પુરી થવા તરફ જઈ રહી છે.