શ્રીનગર: આતંકીઓની ઘૂસણખોરી દુશ્મનોનોની ગોળીબારી અને ગદ્દારોની પથ્થબાજીથી સળગી રહેલા કાશ્મીરમાં સત્તામાં ઊભી તિરાડ પડી ગઈ છે. સ્થાનિક દગાબાજો સાથે સરહદ પારના આતંકીઓના બનતા જતાં ગાઢ સંબંધો વચ્ચે કાશ્મીરમાં સત્તાનું ગઠબંધનું તૂટી ગયું. સત્તાના સોદામાં લાભ કરતાં ખોટ વધી તો ધીરેથી ભાજપ ખસી ગયો અને સળગતું ઘર કૃષ્ણ અર્પણ કરી કરી દીધું. તો આ તરફ મહેબુબા સરકારને મોકળાશમાં રાહતનો શ્વાસ લેવાનો મોકો મળ્યો. જોઈએ સિફત પૂર્વક સત્તાથી સરકવાનો અને દૂરથી સંજોગ જોઈ મરકવાનો આ અહેવાલ...
ઉલ્લેખનીય છે કે મુશ્કેલીભર્યા સમયમાં સાથીની સાથે મક્કમતા પૂર્વક ઊભું રહેવું એ માનવસંબંધોની આદર્શ રીતિ છે. પરંતુ રાજનીતિમાં અને તેમાં પણ ગઠબંધનની રાજનીતિમાં આ આદર્શવાક્ય લાગુ પડતું નથી કે લાગુ પડાતું નથી. ગઠબંધનની રાજનીતિમાં સાથીનું કે દુશ્મનનું નહીં પરંતુ સૌપ્રથમ પોતાનુ હિત જોવામાં આવતું હોય છે અને આ વાત અક્ષરશઃ જમ્મૂ કાશ્મીરમા સાચી ઠરી છે. કોઈ પણ પ્રકારની પૂર્વ ધારણા વગર ભાજપે પીડીપી સાથે છેડો ફાડીને સળગતું ઘર કૃષ્ણાર્પણ કરી દીધું.
હાલમાં જમ્મૂ-કાશ્મીરમાં પીડીપી સાથે છેડો ફાડી નાંખવા પાછળ બીજેપી મહાસચિવ રામમાધવે ઢગલાંબંધ કારણો રજૂ કર્યા છે. રામ માધવનું કહેવું છે કે રાજ્યમાં મુખ્ય નેતૃત્વ જેના હાથમાં છે તે પીડીપી જમ્મૂ-કાશ્મીરની સ્થિતિ સંભાળી શકતી નથી. ઉપરાંત વધતાં આતંકવાદના કારણે પીડીપીમાં રહેવું મુશ્કેલ બન્યુ હતું. રમજાન માસમાં પાકિસ્તાન તરફથી હિંસા જેવા અસંખ્ય કારણો ભાજપ વતી રામમાધવે ગણાવ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે કાશ્મીર સળગી રહ્યુ છે ત્યારે જ ભાજપને પીડીપી સાથે છેડો ફાડવા માટેનો સમય કેમ અનુકૂળ લાગ્યો? સળગતું કાશ્મીર કોઈ પણ પક્ષને હવાલે કરીને ભાજપ કોઈ મોટી ચાલ ચાલી રહ્યો છે.લાગે છે કે પડીપી સાથે છેડો ફાડવો એ ભાજપની 2019 લોકસભાની તૈયારીનો એક ભાગ છે.
આપને જણાવી દઇએ કે ભાજપ ભલે પીડીપી સાથે છેડો ફાડવા માટે દેશહિતમાં કારણો રજૂ કરતું હોય પરંતુ હકીકત એ છે કે તે કાશ્મીરમાં સત્તાની લાલચમાં લાભની લાલચમાં તક હોવા છતાં અનેક કઠોર પગલાં ભરતાં અચકાયું હતું અને આ તરફ શાશક પડીપીએ તેનો લાભ ઉઠાવ્યો અને પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી ત્યારે ભાજપને લાગ્યું કે ભાજપાના કોર વોટરોમાં ખોટો મેસેજ જઈ રહ્યો છે તો તેણે પીડીપીથી છૂટવાનો દાવ અજમાવી લીધો.
હકીકતમાં ઘાટીમાં સ્થિતિ વણસવાનુ કારણ પીડીપીનું કાશ્મીરી માનસ જેટલુ જવાબદાર છે તેથી પણ વધારે ભાજપની નિક્રીયતા પણ જવાબદાર છે. ભાજપ ધારત તો સરકાર પર દબાણ બનાવીને કડક પગલા લઈને કાશ્મીરમાં બગડતી સ્થિતિ સુધારી શક્યુ હોત પરંતુ માત્ર સત્તા માટે અને દેશના બાકીના હિસ્સામાં હિંદુત્વનું કાર્ડ રમતું કરવા માટે તે કે એક પ્રકારના ધ્રુવીકરણ માટે જે રીતે ભાજપ ગરજતું હતું તે રીતે કાશ્મીરમાં પગલા લેવમાં તે નિષ્ફળ જ રહ્યું.
કાશ્મીરમાં અને કાશ્મીર સરહદે પહેલા ક્યારેય ન હતો તેટલો તણાવ ભાજપ કેન્દ્રમાં સત્તાપર આવ્યા બાદ ઊભો થયો છે. આ સરકારમાં જ સૌથી વધારે જવાનો શહીદ થયા છે. સૌથી વધારે આતંકી હુમલા થયા છે અને સૌથી વધુ વખત સીઝફાયરનું પણ ઉલ્લંઘન થયુ છે. એટલું જ નહીં સત્તા માટે બિલકુલ વિપરીત વિચારધારા ધરાવતા પીડીપી સાથે જોડાણ કરીને વિપરીત વિચારધાર સામે નરમ વલણ અપનાવ્યું અને જેના પરિણામે ઘાટીમાં હાલત એ હદે વણસી ગઈ કે તેને કાબૂમાં કરવું ભાજપની તાકાતની બહારની વાત થઈ પડી અને સત્તામાંથી છેડો ફાડવો પડયો.
પીડીપી થી છેડો ફાડવા માટે ભાજપ ભલે અનેક કારણોને વાજબી ગણાવતું હોય પરંતુ તેની આકરી ટીકાઓ થઈ રહી છે. ભાજપ સરકાર કાશ્મીર સ્થિતિ માટે પીડીપી પર આરોપો લગાવીને ભાગી જવું ન જોઈએ. ભાજપ એવું માને છે કે પીડીપી સાથે કોઈપણ પક્ષનું ગઠબંધન થાય કે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિનું શાસન લાગે તે બન્ને સ્થિતિમાં ભાજપને તકની રાહ જોઈને બેઠું છે.
જો પીડીપી સાથે કોઈ અન્ય પક્ષનું ગઠબંધન થાય તો કાશ્મીર સ્થિતિ માટે જે તે ગઠબંધન પર દોષનો ટોપલો ઢોળી દેવા તે તૈયારી કરી રહ્યુ છે. જો રાષ્ટ્રપતિ શાસન લાગે તો પછી કાશ્મીર સંબંધી દરેક હુકમ સીધા દિલ્હીથી કરીને સત્તામા ન હોવા છતાં સત્તા ચલાવવાનો મોકો મળે તેમ છે. હાલ તો ભાજપને બીજો વિકલ્પ પસંદ આવે તેવું લાગે છે. જોઈએ તેમ કરવા છતાં કાશ્મીંર સમસ્યા કેટલી હળવી બને છે.