ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના સંકટ વચ્ચે જાહેર કરવામાં આવેલા લોકડાઉનના પગલે રાજ્યમાં બંધ કરવામાં આવેલી ST બસને ધીરે-ધીરે અનલોક દરમિયાન છૂટછાટ સાથે શરૂ કરવામાં આવી હતી. જો કે હવે રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પણ ST બસની સેવા શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે ST વોલ્વો બસ આજથી શરૂ કરવામાં આવી છે.
આજથી રાજ્યમાં STની વોલ્વ બસ સેવા શરૂ
અમદાવાદ,વડોદરા,રાજકોટ,સુરતમાં ST વોલ્વો શરૂ
ભુજ અને ગાંધીનગરના રૂટ પર પણ વોલ્વો શરૂ થશે
ST વિભાગ દ્વારા આજથી વધુ 40 એસી-વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય કરાયો છે.12 વોલ્વો રાજકોટ, સુરત અને ભૂજ રૂટ પર દોડશે. 24 એસી બસનું પણ સંચાલન શરૂ થઈ.
અમદાવાદ-ડીસા, ભાવનગર, દાહોદ, મોરબી રૂટ શરૂ થવા સાથે રાજકોટ-દીવ, અમદાવાદ-અંબાજી રૂટ પણ ચાલુ થશે. 4 એસી સ્લીપર બસનું ઉમરગામ,અંબાજી, સુરત અને મોરબી રુટ પર સંચાલન શરૂ થયું છે. ત્યારે હવે રાજ્યમાં કુલ 80 એસી-વોલ્વો બસ દોડવાની શરૂ થઈ છે.