બનાસકાંઠાના આંતરિયાળ ગામોમાં ST બસો વધુ ન હોવાના કારણે લોકોને જીવના જોખમે મુસાફરી કરવાનો વારો આવ્યો છે. વાવ તાલુકાના તીર્થ ગામમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓ ST બસની ઉપર બેસીને જવા માટે મજબૂર બન્યા છે.
વિદ્યાર્થીને સ્કૂલ સુધી પહોંચવા માટે બસની ઉપર બેસીને મજબુરીમાં મુસાફરી કરવી પડે છે. તંત્ર દ્વારા STની સલામત સવારીના સ્લોગન મારવામાં આવે છે. વિદ્યાર્થીઓની જોખમી મુસાફરી કર્યા બાદ પણ તંત્ર દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
મહત્વનુ છે કે ST નિગમ દ્વારા ગામમાં ઓછી બસો ફાળવવામાં આવે છે અને વિદ્યાર્થીને સ્કૂલ સુધી પહોંચવા માટે બસની ઉપર બેસીને મુસાફરી કરવી પડે છે. વિદ્યાર્થીઓની જોખમી મુસાફરી કર્યા બાદ પણ તંત્ર દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્ર દ્વારા STની સલામત સવારીના સ્લોગન મારવામાં આવે છે. તો શુ આ રીતે STની સવારી સલામત છે તેવા સવાલ પણ ઉઠ્યા છે.