જૂનાગઢમાં શિવરાત્રીના મેળાની તૈયારીઓ. રાજ્યના ST નિગમે પણ શિવરાત્રીના આ મેળાને લઈને ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ST નિગમે 299થી વધુ બસોની વ્યવસ્થા કરી છે.
મહાશિવરાત્રીને લઇ ST નિગમનો એક્શન પ્લાન
શિવરાત્રીના મેળા માટે એસટી નિગમ 229 બસો દોડાવશે
જૂનાગઢમાં 14 થી 19 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીના મેળાનું આયોજન
જુનાગઢ ભવનાથમાં ભારે તૈયારીઓ ચાલી રહી છે. સાથોસાથ એક સમયે 'મીની કુંભ' તરીકે નવાજાયેલા આ શિવરાત્રી મેળાને સફળ બનાવવા રાજ્ય સરકાર સાથે મહાનગર પાલિકાનું વહીવટી તંત્ર પણ તૈયારીઓમાં જોડાયું છે. ભવનાથના મેળામાં દીપાવલી બાદની લીલી પરિક્રમાની જેમ જ લાખોની જન મેદની ઉમટે છે.
જૂનાગઢમાં 14 થી 19 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવ્યું
આ બાબતે એસ.ટી. વિભાગના સચિવ કે.ડી.દેસાઈએ જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીને લઈને ST નિગમ દ્વારા એક્શન પ્લન તૈયાર કરવામાં આવ્યો છે. ભવનાથ તળેટી સુધી જવા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે એકસ્ટ્રા બસો મુકવામાં આવી છે. શિવરાત્રીનાં મેળા માટે એસટી નિગમ 229 બસો દોડાવશે. તેમજ ભવનાથની તળેટી જવા 56 મીની બસો એસટી નિગમે ફાળવી છે. જૂનાગઢમાં 14 થી 19 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તળેટી સુધી જવા દર 10 મિનિટે બસો મળશે. વર્ષે સાડા ત્રણ લાખ જેટલા મુસાફરો આ સુવિધાનો લાભ લે તેવી શક્યતા છે.
મુસાફરોની સેવા માટે 229 જેટલી બસો તેમજ 56 જેટલી મીની બસો ફાળવવામાં આવી
આ બાબતે એસટી વિભાગના સચિવ કે.ડી.દેસાઈએ જણાવ્યું હતું કે ભવનાથના મેળા માટે એસટી વિભાગ દ્વારા ભક્તો માટે 229 જેટલી બસો મુકવામાં આવી છે. ગત વર્ષે અમે 236 વાહનથી 2,36,000 લોકોએ અમારી બસ સેવાનો લાભ લીધો હતો. ત્યારે ચાલુ વર્ષે 3 થી સાડા ત્રણ લાખ મુસાફરો એસટી નિગમની સેવાનો લાભ લે તેવી શક્યતા ચકાસીને 56 જેટલી વિવિધ બસો તેમજ 229 જેટલી બસો આ મેળા માટે ફાળવવામાં આવ્યા છે.
ગ્રીક, મૌર્ય વંશ, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઉજળા ઈતિહાસની સાક્ષી રહેલી આ ધરા પર આવીને, ભગવાન શિવના દર્શન કરવાની પરંપરા વર્ષો જૂની છે. દર વખતે ઉઠતો માનવ મહેરામણ શ્રદ્ધા અને સંસ્કૃતિના સમન્વની એક ઓળખ પૂરી પાડે છે. આ વખતે પણ શિવના શરણે આવીને ધન્યતા અનુભવવા ભક્તો પણ આતુર છે.