અંબાજી જતા નાગરિકો માટે ST વિભાગે મોટો નિર્ણય કર્યો છે. યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ ૮ થી ૧૪ સપ્ટેબર દરમિયાન ભાદરવી પૂનમનો મહાકુંભ ભરાશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રાએ ઊમટી પડશે. તેઓ સુખરૂપ તેમના ઘરે પહોંચી શકે ST વિભાગે મોટો નિર્ણય કર્યો છે.
1100થી વધુ બસના રૂટ શરૂ થશે
પૂનમના મેળાને લઇ ST વિભાગે બસોના રૂટ વધારવાનો નિર્ણય કરાયો છે. રાજ્યભરમાં 1100થી વધુ બસના રૂટ શરૂ થશે. અમદાવાદ, પાલનપુરથી નવી બસના રૂટ શરૂ કરાશે. હિંમતનગર, મહેસાણાથી પણ બસના રૂટ શરૂ કરાશે. અમદાવાદમાંથી 250થી વધુ બસ શરૂ કરવાનું આયોજન છે.
આ ઉપરાંત ભાદરવી પૂનમના મેળામાં જતી તમામ બસનું જીપીએસથી મોનિટરિંગ કરવામાં આવશે, સાથે-સાથે મુસાફરોની સુરક્ષાને ખાસ ધ્યાનમાં રાખીને કોઈ પણ બસ ઓવરલોડ ન જાય તેનું પણ ધ્યાન રખાશે. જ્યારે યાત્રિકો માટે 24 કલાક અંબાજી સુધી બસ દોડાવાનો નિર્ણય કરાયો છે.
અંબાજી ભક્તો માટે વધું વ્યવસ્થા
તો અંબાજી ખાતે નવ બૂથ બનાવવામાં આવ્યાં છે, સાથે-સાથે અંબાજી આવતા ભક્તો માટે બસ પર હંગામી ધોરણે પેસેન્જર રેક, પીવાના પાણીની વ્યવસ્થા, જાહેર શૌચાલય, માઈક એનાઉન્સની વ્યવસ્થા, બૂથ ઉપરથી મોબાઈલ સંપર્કની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. ક્રેન, મિકેનિક ગેંગ, એમ્બ્યુલન્સ, ડેપો ખાતે ફાયર ફાઈટરની વ્યવસ્થા, બેનર, હોર્ડિંગ્સ દ્વારા યાત્રાળુઓને માર્ગદર્શનની વ્યવસ્થા કરાઇ છે. પોલીસ વિભાગ દ્વારા ૧૦ વોકીટોકી સેટ એસટી વિભાગને ફાળવવામાં આવ્યા છે.
૧૩૦૦થી વધુ કર્મચારીઓ ફરજ ઉપર
ગત વર્ષે નિગમે ૧૧.રપ લાખ મુસાફરોને પોતાના વતન પહોંચાડ્યા હતા, જેનાથી પ.પ૦ કરોડની આવક થઇ હતી. યાત્રિકોની સુવિધા માટે મેળાના સાતેય દિવસ દરમિયાન ૨૪ કલાક બસ દોડતી રહેશે. સમગ્ર વ્યવસ્થા માટે ડ્રાઇવર, કંડકટર, મિકેનિકલ સુપરવાઇઝર અને અધિકારી સહિતના ૧૩૦૦થી વધુ કર્મચારીઓને ફરજ ઉપર મૂકવામાં આવ્યા છે.
ગબ્બર ત્રણ રસ્તા અને આરટીઓ ત્રણ રસ્તા-ડીસા, પાલનપુર, સિદ્ધપુર, થરાદ, દિયોદર, રાધનપુર જવા માટે બસ મળશે. GMDC મેદાન-અમદાવાદ અને સાબરકાંઠા, ગોધરા, નિડયાદ જવા માટે બસ મળશે. કૈલાસ ટેકરી સામેના મેદાનમાંથી મહેસાણા જવા માટે બસ મળશે.