ગુજરાતમાં હાલ ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યું લગાવામાં આવ્યો છે. ત્યારે 4 મહાનગરપાલિકામાં રાત્રી કર્ફ્યું અંગે ST નિગમે એકશન પ્લાન ઘડી નાંખ્યો છે. ST નિગમે મુસાફરોને બસમા બેસવા માટે પડાપડા ન કરવા અપીલ કરી છે. પેસેંજરો માટે બાયપાસ પીક અપ પોઇન્ટ નક્કી કરાયા છે. રાત્રે પણ ST નિગમના કર્મચારીઓ પિકઅપ પોઇન્ટ પર રહેશે.
ગુજરાતમાં હાલ ચાર મહાનગરપાલિકાઓમાં રાત્રિ કર્ફ્યું જાહેર કરવામાં આવતા ST નિગમ દ્વારા એકશન પ્લાન બનાવામાં આવ્યો છે. જેમાં પેસંજરો માટે બાસપાસ પીકઅપ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યાં છે. રાત્રે પણ આ પિકઅપ પોઇન્ટ પર ST નિગમના કર્મચારીઓ હાજર રહેશે.
ગુજરાતના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે પીકઅપ પોઇન્ટ નક્કી કરાયા છે. શહેર અને નજીકના સ્થળ પરથી ST બસો મળી રહેશે. આ પીકઅપ સ્ટેન્ડ પરથી રાત્રિના સમયે પણ નિગમના કર્મચારીઓ સ્ટેન્ડ ટુ બાય રહેશે.