રાજકોટ: 21 તારીખે બહારગામ જતા વિચારજો ! કારણ કે એસ.ટી. વિભાગના કર્મચારીઓ 21 તારીખે હડતાળ પર જશે. રાજકોટના એસ.ટી. વિભાગના બે હજાર 250 કર્મચારીઓએ રજાનો રિપોર્ટ મુક્યો છે.
તેઓએ પોતાની પડતર માંગણીઓને લઈને એસ.ટી.ના કર્મચારીઓ હડતાળ પર જશે. આજ રાત્રીના 12 વાગ્યાથી એસ.ટી. બસોના પૈડા થંભી જશે.
મહત્વનું છે કે ગુજરાત એસટીમાં દરરોજ હજારો વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે. ત્યારે એસટીના કર્મચારીઓ હડતાળ પર ઉતરતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. તો બીજી તરફ લગ્નની સીઝન ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ લગ્ન પ્રસંગ હોવાથી અનેક લોકોએ બસો બુક કરાવી છે. એસટી બસના કર્મચારીઓની હડતાળ થતા લગ્ન પ્રસંગમાં પણ લોકોને પરેશાની થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે વાહનવ્યવહાર મંત્રાલય અને નિગમના અધિકારીઓ દ્વારા વારંવારની રજૂઆતો બાદ આ માંગણીના ઉકેલ અને અમલવારીની ખાતરી આપવા છતાં માંગણી સંતોષવામાં નહીં આવતા રાજકોટ વિભાગના એસટી કર્મચારીઓના દ્વારા આગામી ફેબ્રુઆરીથી કામથી અળગા થવાની ચીમકી ઉચ્ચારી છે. જેના પગલે ગુજરાતની તમામ એસ.ટી બસના પૈડા થંભાવી દેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.