ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં જતા કેસને ધ્યાનમાં રાખીને સુરતમાં એસટી બસોના સંચાલન પર લગાવવામાં આવેલ રોકને વધુ સાત દિવસ સુધી લંબાવી દેવામાં આવી છે. હવે અમદાવાદ-સુરત રૂટ પર વધુ સાત દિવસ સુધી બસ દોડશે નહીં.
રાજ્યમાં વધતાં જતા કેસને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
સુરત રૂટ પર દોડતી બસો પર વધુ સાત દિવસ પ્રતિબંધ
ખાનગી વાહનો અને માલવાહક વાહનોને ખુલી છૂટ
રાજયમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. વાયરસનું સંક્રમણ રોકવા માટે સુરતથી અમદાવાદ આવતી એસટી બસોને બંધ કરવામાં આવી હતી. સુરતથી અમદાવાદના એસટી રૂટ પરના પ્રતિબંધને વધુ સાત દિવસ માટે લંબાવી દેવામાં આવ્યો છે. વધતાં જતા કેસને ધ્યાનમાં રાખીને લાંબા સમય સુધી વિચાર વિમર્શ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે એસટી રૂટ પર બસો નહીં દોડે પરંતુ ખાનગી વાહનો અને માલવાહક વાહનોને અવરજવર માટે છૂટ ચાલુ જ રહેશે.
રાજ્યમાં જયારે કોરોના વાયરસના કેસમાં વધારો શરુ થયો ત્યારે અમદાવાદમાં જ કેસ વધ્યા અને હવે છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં કેસમાં વધારો થઇ રહ્યો છે. વધતાં જતા કેસને જોતા છેલ્લા 15 દિવસથી પણ વધુ સમયથી એસતી બસ અને ખાનગી બસનું સંચાલન બંધ છે અને આગામી સાત દિવસ સુધી ફરીથી બસનું સંચાલન થશે નહીં.