ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધ્યું છે, ત્યારે મહામારીને લઈને ST તંત્રએ મહત્વનો નિર્ણય લેતા 2 રાજ્યોમાં જતી બસોના પૈડા હંગામી ધોરણે થંભાવી દેવાયા છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધ્યું
ST તંત્રએ લીધો મહત્વનો નિર્ણય
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જતી ST બસો હંગામી ધોરણે કરાઇ બંધ
મળતી જાણકારી પ્રમાણે, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જતી તમામ બસો તંત્ર દ્વારા હંગામી ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે જ્યારે રાજસ્થાન જતી બસોમાં 50 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, કોરોનાની બીજી લહેર રોજબરોજ ખતરનાક સાબિત થતી જાય છે. તો સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં સ્થિતિ વધુ વણસેલી છે ત્યારે આ પરિસ્થિતિને જોતા તંત્ર દ્વારા બસો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
2 રાજ્યોમાં બસો કરાઇ બંધ
ઉલ્લેખનીય છે કે, મોટાભાગના લોકો એક સ્થળેથી અન્ય સ્થળે જવા માટે ST બસનો ઉપોયગ કરતા હોય છે. પરંતુ કોવિડ મહામારીને કારણે બસો બંધ કરવામાં આવી હતી, જો કે, કોવિડ સંક્રમણ ઘટના બસો ફરી શરૂ કરવામાં આવેલ પરંતુ કોરોનાની બીકને લીધો લોકો બસમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. આ જ કારણોસર બસ સ્ટેશન પર પ્રવાસીઓની સંખ્યા પણ ઘટી છે અને STની આવકમાં પણ ઘટાડો થયો છે. ત્યારે હવે 2 રાજ્યોમાં બસો બંધ કરવામાં આવતા GSRTCને વધુ નુકસાન થશે
રાજકોટ ડેપોએ પણ કેટલાક રૂટ કર્યા બંધ
રાજકોટમાં કોરોનાની બીજી લહેર સૌ કોઈ માટે ઘાતક બની રહી છે. તો રાજકોટ એસ.ટી પોર્ટમાં આજે 67 મુસાફરો કોરોનાગ્રસ્ત હોવાનું સામે આવ્યું હતું. જે બાદ એસ.ટી બસ પોર્ટમાં મુસાફરોની અવરજવર ઓછી થઈ ગઈ છે. અને એસ.ટી બસની 450 જેટલી ટ્રીપ રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે.
ગુજરાતમાં ગઈકાલે નોંધાયા છે 8 હજારથી વધુ કેસ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 8,152 કેસ નોંધાયા છે તો 81 લોકોની મોત છેલ્લા 24 કલાકમાં નોંધાઈ છે. અને 3,023 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 32,6394 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.