સુરેન્દ્રનગર-વિરમગામ પાસે ST બસ અને ખાનગી વાહન વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરોમાં અફરાતરફરી અને ભયનો માહોલ સર્જાયો, દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત 15 લોકોને સામાન્ય ઈજા
સુરેન્દ્રનગર-વિરમગામ પાસે અકસ્માત
લખતરના છારદ પાટિયા પાસે દુર્ઘટના સર્જાતા એકનું મોત
ST બસ અને ખાનગી વાહન વચ્ચેના અકસ્માતમાં 15 લોકોને ઈજા
સુરેન્દ્રનગર-વિરમગામ પાસે ST બસ અને ખાનગી વાહન વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરોમાં અફરાતરફરી અને ભયનો માહોલ સર્જાયો હતો, લખતરના છારદ પાટિયાના નજીક ખાનગી બસ અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે જ્યારે બસમાં સવાર 15 લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે, મહત્વનું છે કે આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
લખતરના છારદ પાટિયા પાસે દુર્ઘટના
અક્સમાતની ઘટના જાણ થતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા જ્યારે સમગ્ર મામલે પોલીસ અને 108ની ટીમને પણ જાણ કરાતા ઘટના સ્થળે દોડી આવી હતી.રોડ પર સર્જાયેલા અકસ્માત બાદ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા પોલીસ ટ્રાફિરને નિયંત્રિક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે મૃતકને પીએમ અર્થે ખસેડીને 108 દ્વારા વધુ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.